જમ્મૂ એરફોર્સ પર ડ્રોન હુમલા બાદ વાયુસેના હવે એલર્ટ થઈ છે. વાયુસેના દ્વારા જુદા જુદા એરબેઝ પર હવે એન્ટી ડ્રોન સિસ્ટમ મુકવામાં આવશે
વાયુસેનાએ 10 એન્ટી ડ્રોન સિસ્ટમ ખરીદી
એન્ટી ડ્રોન સિસ્ટમને હોવાથી હુમલો કરવો મુશ્કેલ
જમ્મૂ એરફોર્સ હુમલા બાદ વાયુસેના એલર્ટ
જમ્મૂ એરફોર્સ સ્ટેશન પર થોડાક દિવસો પહેલા ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને હવે વાયુસેના દ્વારા ભવિષ્યમાં આવા હુમલાઓ સાથે લડવાની તૈયારી કરવામાં આવી રહી છે. વાયુ સેના દ્વારા 10 એન્ટી ડ્રોન સિસ્ટમ ખરીદવામાં આવી છે. આ સિસ્ટમને કારણે ડ્રોન વડે હુમલો કરવો મુશ્કેલ થઈ જાય છે.
ડ્રોનને નષ્ટ કરવા સિસ્ટમ સક્ષમ
ગત 27 જૂને વાયુસેનાએ એંટી ડ્રોન સિસ્ટમ ખરીદવા માટે ભારતીય કંપનીઓને રિકવેસ્ટ ફોર ઈન્ફોર્મેશન રજૂ કરી હતી. વાયુસેનાએ તેમા જણાવ્યું હતું તે અન આર્મ્ડ એયરક્રાફ્ટ સિસ્ટમ ડ્રોનને શોધવા, તેને ટ્રેક કરવા તેમજ તેની ઓળખ કરવા અને તેને નષ્ટ કરવા માટે પૂરી રીતે સક્ષમ છે.
તમામ ફિચર્સ ઈઝરાઈલ ડ્રોન સિસ્ટમ જેવા
એન્ટી ડ્રોન સિસ્ટમમાં ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ જૈમર સિસ્ટમ અને રેડિયો ફિકવનસી પણ હોય છે. આ ફીચર્સ ઈઝરાઈલના ડ્રોન ડોમ સિસ્ટમ જેવી છે. જે સાડા ત્રણ કીમીની દૂરી પર પણ નાનામાં નાના ટાર્ગેટને શોધી કાઢીને તેને પાડી કાઢે છે.
પર્યાવરણને ઓછું નુકશાન
આ સિસ્ટમને કારણે પર્યાવરણને પણ ઘણું ઓછું નુકશાન પહોચે છે. જે આપણા માટે ઘણી સારી બાબત છે. તે સિવાય આપને જણાવી દઈએ કે આ મેડ ઈન ઈન્ડિયા ડ્રોન સિસ્ટમનનું મુખ્ય હથિયાર લેઝર આધારીત હશે.
અલગ અલગ એરબેઝ પર સિસ્ટમ ગોઠવવામાં આવશે
ઉલ્લેખનીય છે છેલ્લા કેટલાક સમયથી કશ્મીરમાં આતંકવાદી ઘણા સક્રિય થયા છે. જેમની સામે સેના દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. જોકે જમ્મૂ એરફોર્સ સ્ટેશન પર હુમલો થયા બાદ વાયુસેના પણ હવે એલર્ટ થઈ ગઈ છે. જેથી વાયુસેના દ્વારા હવે આ એન્ટી ડ્રોન સિસ્ટમોને અલગ અલગ એરબેઝ પર ગોઠવવામાં આવશે.