ભારતીય વાયુસેનાની પેરિસ સ્થિત ઓફિસ પર ઘૂસણખોરી કરવાના પ્રયાસ કરાયા હતા. IAFની ઓફિસમાં રાફેલ પ્રોજેકટ મેનેજમેન્ટની ટીમની આવેલી છે. વાયુસેનાએ આ અંગે ડિફેન્સ મંત્રાલયને સૂચના આપી છે. આ ટીમ ફ્રાંસમાં 36 રાફેલ વિમાનોના પ્રોડક્શન પર નજર રાખવા અને ભારતીય પાયલોટને ટ્રેનિંગની જવાબદારી સંભાળી રહી છે.આ ઓફિસમાં ઘૂષણખોરી કરવાનો પ્રયાસ કરવાની વાત સામે આવી છે. શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં.
ભારતીય વાયુસેનાની પેરિસ સ્થિત ઓફિસ પર ઘૂસણખોરી કરવાના પ્રયાસ કરાયા હતા. પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમની આગેવાની ગ્રુપ કેપ્ટન રેન્કના અધિકારીને સોંપવામાં આવી છે. ઓફિસ પેરિસના બહારના ભાગમાં આવેલી છે. જોકે અત્યાર સુધીમાં ઘૂસણખોરીનો ઉદેશ્ય જાસૂસી હતો કે કંઈક બીજો હતો, તે જાણી શકાયું નથી.
અત્યાર સુધીમાં ભારતીય વાયુસેના, રક્ષા મંત્રાલય કે ફ્રાંસની એમ્બેસીએ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. ન્યુઝ એજન્સીના કેટલાક અધિકારીઓના કહેવા પર આ રિપોર્ટ જાહેર કરાયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી પર રાફેલને લઈને ઘણીવાર નિશાન સાધ્યુ હતું. રાહુલનો આરોપ છે કે, આ મામલામાં મોટા સ્તરે ગોટાળો થયો છે. યુપીએ સરકારે રાફેલ વિમાનોને લઈને જે ડીલ કરી હતી, તેને એનડીએ સરકારે પોતાના હિતો માટે બદલી નાંખી છે.
Indian Air Force Rafale office broken into in France
કેન્દ્ર સરકારે રાફેલ સાથે જોડયેલા દસ્તાવેજો લીક થવાના મામલામાં સુપ્રીમ કોર્ટમાં સોગાંદનામું કર્યું. તેમાં કેન્દ્રએ દલીલ કરી છે કે, જે દસ્તાવેજોને આધાર બનાવીને રિવ્યુ અરજી કરવામાં આવી, તે ભારતીય સુરક્ષા માટે સંવેદનશીલ છે. તે સાર્વજનિક થવાથી દેશની સિક્યોરિટી ખતરામાં પડી શકે છે. હવે આ ઘૂષણખોરીના સમાચાર બાદ ફરીએકવાર આ મામલે ગરમાવો આવ્યો છે.