વાયુસેના ફક્ત પોતાની પાસે લડાકૂ વિમાનો વધારી રહી છે એવું નથી. તે સુખોઈ અને મિરાજ -2000 જેવા ખાસ વિમાનોને વધારે શક્તિશાળી બનાવવાની યોજના પણ બનાવી રહી છે.
મિરાજ-2000 જે એકથી વધુ બોમ્બ કે મિસાઈલ પાડવામાં સક્ષમ છે તેને પણ કરાશે અપગ્રેડ
વધુ 12 સુખોઈ વિમાન ખરીદશે ભારતીય વાયુસેના
પોતાની તાકાતને વધુ વિસ્તાર આપવા માટે યુદ્ધમાં મુકાબલો કરવાની ક્ષમતા વધારવા માટે ભારતે હવે સુખોઈ-30MKIને અપગ્રેડ કરીને તેમાં વૈમાનિક, રડાર અને હથિયારોથી લેસ કરવાની યોજના બનાવી છે. હાલમાં આ માટેની વાતચીત રશિયા સાથે ચાલી રહી છે. ભારતીય વાયુસેના રશિયા પાસેથી 12 વધુ સુખોઈ વિમાન ખરીદવાની યોજના બનાવી રહી છે જેથી ક્રેશમાં ખોવાઈ ગયેલા વિમાનોની ભરપાઈ થઈ શકે.
જાણો આ વિમાનો બનાવવા માટે થશે કેટલો ખર્ચ?
વાયુસેના લડાકૂ વિમાનોની અછત અનુભવી રહી છે. આ વિમાનોને પીએસયૂ હિન્દુસ્તાન એયરોનોટિક્સ દ્વારા બનાવવામાં આવશે. આ કંપની સુખોઈ સિવાય 21 વધુ મિગ, 29 જેટ્સ પણ બનાવશે. આ વિમાન બનાવવાની પ્રોસેસમાં એક વિમાનનો ખર્ચ 230 કરોડ રૂપિયા રહેશે.
વિમાન અપગ્રેડેશન માટે ચાલી રહી છે વાતચીતઃ વાયુસેના અધ્યક્ષ
વાયુસેના અધ્યક્ષ રાકેશ કુમાર સિંહ ભદૌરિયાએ જણાવ્યું છે કે સુખોઈ વિમાનને નજીકના ભવિષ્યમાં અપગ્રેડ કરવામાં આવશે. જેથી તેને વધુ સક્ષમ બનાવી શકાય. વાયુસેનાએ હાલ સુધી 272માંથી 250 સુખોઈ વિમાન પોતાના કાફલામાં સામેલ કર્યા છે. સુખોઈ સૂ 30MKIના 272 કાફલાનો ઓર્ડર પહેલેથી મળ્યો છે. હવે તેના અપગ્રેડેશનની વાત ચાલી રહી છે.
અપગ્રેડ પછી આવું હશે સુખોઈનું સ્વરૂપ
સુખોઈ અપગ્રેડ પરિયોજનાના આધારે તેમાં નવા એવિયોવિક્સ સામેલ કરવામાં આવશે. એક શક્તિશાળી અને પ્રભાવી રડાર સિસ્ટમ લગાવવામાં આવશે જે એઈએસએ એટલે કે active electronically scanned array જેટલી સક્ષમ હશે. સૂત્રના જણાવ્યા અનુસાર હથિયારોના નિયંત્રણ અને નવી મિસાઈલ અને પીજીએમના ઈન્ટીગ્રેશનને માટે નવી કમ્પ્યૂટર સિસ્ટમની જરૂર રહેસે. ટ્વિન સીટવાળા 42 સુખોઈ વિમાનોને પણ સુપર સોનિક બ્રહ્મોસ મિસાઈલોથી અપગ્રેડ કરવામાં આવશે. સુખોઈ વિમાન 3હજાર કિલોમીટર સુધી હુમલો કરી શકે છે. જ્યારે તેની ક્રૂઝ રેન્જ 3200 કિલોમીટર સુધી છે અને કોમ્બેટ રેડિયસ 1500 કિલોમીટરનો છે.
મિરાજ 2000 એસ પણ થશે અપગ્રેડ
સુખોઈ સિવાય ભારતીય વાયુસેનાના કે-49 મિરાજ-2000એસને પણ અપગ્રેડ કરવામાં આવશે. તેમાંથી કેટલાક એવા છે જેનો ઉપયોગ 26 ફેબ્રુઆરીના બાલાકોટ સ્ટ્રાઈકમાં કરવામાં આવ્યો હતો. તેના અપગ્રેડમાં 17547 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જો કે ભારતીય વાયુસેનાની પાસે યુદ્ધને માટેના વિમાન કાફલામાં ઘટાડો થયો છે. એવામાં તે આધુનિક વિમાન વાયુસેના માટે મહત્વનો સાબિત થશે. વર્ષ 2015માં પણ મિરાજ - 2000એસને અપગ્રેડ કરીને વાયુસેનાને આપવામાં આવ્યું હતું. તે સમયે તેમાં નવા ઇલેક્ટ્રોનિક અને રડાર સિસ્ટમ લગાવવામાં આવી હતી. તેમાં બે એન્જિન હોય છે માટે તેના ક્રેશ થવાની સંભાવના ઓછી રહે છે.