પુલવામા આંતકી હુમલાના જવાબમાં ભારત તરફથી 26 ફેબ્રુઆરીએ કરવામાં આવેલી બાલાકોટ એરસ્ટ્રાઇકમાં જે સ્પાઇસ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, ભારતીય સેના હવે એ જ એડવાન્સ બોમ્બને ઇઝરાયલ પાસેથી ખરીદવા જઇ રહી છે.
નવી દિલ્હી: ભારત તરફથી 26 ફેબ્રુઆરીએ કરવામાં આવેલી બાલાકોટ એરસ્ટ્રાઇકમાં જે સ્પાઇસ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, ભારતીય સેના હવે એ જ એડવાન્સ બોમ્બને ઇઝરાયલ પાસેથી ખરીદવા જઇ રહી છે.
સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ ભારતીય વાયુસેના હવે પોતાના હથિયારોને એડવાન્સ્ડ બનાવવા માટે ઈઝરાયલ પાસેથી સ્પાઈસ 2 હજાર બોમ્બ ખરીદશે. આ બોમ્બ કોઈ પણ ઈમારતને ધ્વસ્ત કરવા માટે યોજનાબદ્ધ રીતે લગાવી શકાય છે. આ બોમ્બનું જૂનુ વર્ઝન કોઈ પણ ઈમારતને ભેદવા અને તોડી પાડવા સક્ષમ હતું.
સ્પાઈસ 2 હજારનો ઉપયોગ ભારતીય વાયુસેનાએ બાલોકોટમાં કરેલી એરસ્ટ્રાઈક દરમિયાન કર્યો હતો.
સ્પાઈસ 2 હજાર બોમ્બે નિશાન સાધતા પહેલા એક મીટર સુધીનો ખાડો બનાવે છે અને બાદમાં પોતાના લક્ષ્યને ધ્વસ્ત કરે છે. સ્પાઈસ અંગ્રેજીના સ્પાઈસ શબ્દ પરથી બનાવવામાં આવ્યો છે. જેને ઈઝરાયલે વિકસિત કર્યો છે.
સ્પાઈસ બોમ્બ ત્રણ પ્રકારના હોય છે.. સ્પાઈસ 1 હજાર, સ્પાઈસ 2 હજાર અને સ્પાઈસ 250 એમ ત્રણ પ્રકારના હોય છે. સ્પાઈસ 2 હજાર બોમ્બ 900 કિલોગ્રામનો હોય છે. જેના આગળના ભાગમાં એમ.કે. 84, બીએલયુ 109 અને આર.એ.પી. 2000 સહિતના અનેક બોમ્બ લાગેલા હોય છે.