કોલંબોઃ ભારતીય ટીમ નિદહાસ ટ્રોફીનો શરૂઆતી મુકાબલો ગુમાવ્યા બાદ સતત બે મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં 4 અંકની સાથે ટોપ પર છે. સોમવાર રાત્રે ટીમ ઇન્ડિયાએ પ્રેમદાસા સ્ટેડિયમમાં શ્રીલંકાને 6 વિકેટથી હરાવીને મહેરબાન ટીમથી પોતાની છેલ્લી હારનો બદલો લઇ લીધો.
આ મુકાબલામાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરે શ્રીલંકાની ટીમે 19 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયા સામે જીતવા માટે 153 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે 17.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 153 રન બનાવી લીધા હતા. આ મેચ 6 વિકેટથી પોતના નામે કરી લીધી.
ટીમ ઇન્ડિયા માટે મનીષ પાંડેએ સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. જ્યારે દિનેશ કાર્તિકે 39 રનોની ઇનિંગ્સ રમી હતી. શાર્દુલ ઠાકુરે મેચમાં 4 વિકેટ લીધી. તેમના પ્રદર્શન માટે તેમને 'મેન ઓફ ધ મેચ' પસંદ કરાયા હતા.