વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારત આતંક અને હિંસા મુક્ત વાતાવરણમાં પાકિસ્તાન સાથે બાકી મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. ભારતના વિદેશમંત્રી જયશંકરે યૂરોપીય સંઘના કમિશ્નર ક્રિસ્ટોસ સ્ટાયલિયનાઇડ સાથેની બેઠક દરમિયાન કહી છે.
એસ. જયશંકરે યૂરોપીય સંઘના કમિશ્નર સાથે બેઠક કરી
એસ. જયશંકરે ભારત પાકિસ્તા સાથે મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર
જેમાં યૂરોપીય સંઘના એ વલણને પુનરાવર્તિત કરવામાં આવ્યું કે નવી દિલ્હી અને ઇસ્લામાબાદે કાશ્મીર વિસ્તારમાં તણાવ દૂર કરવા માટે ફરી વાતચીત કરવાની આવશ્યકતા છે.
બંને નેતાઓ વચ્ચે જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ ક્ષેત્રમાં સારા પ્રશાસન અને અધિક વિકાસ માટે પોતાની આશાઓ વ્યક્ત કરી. ભારતના વિદેશ મંત્રી અને યૂરોપીય સંઘના કમિશ્નર વચ્ચે અફઘાનિસ્તાન અને ઇરાનની પરિસ્થિતિ સંબંધિત હાલના ઘટનાક્રમ પર પણ વાતચીત કરવામાં આવી.
ભારતના વિદેશમંત્રીએ ટવિટર માધ્યમથી જણાવ્યું કે યૂરોપીય સંઘના કમિશ્નર ક્રિસ્ટોસ સ્ટાયલિયનાઇડ સાથે બેઠક સારી રહી. અફઘાનિસ્તાન અને ઇરાનના મુદ્દા પર આપણા દૃષ્ટિકોણ પર ચર્ચા કરવામાં આવી.
જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખમાં સારા પ્રશાસન અને વિકાસને લઇને અમે કટિબદ્ધ છીએ તે અંગે જણાવ્યું. આતંક અને હિંસાથી મુક્ત વાતાવરણમાં પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરવા ભારત તૈયાર છે તેમ યૂરોપીયન સંઘના કમિશ્નરને જણાવ્યું.
A good meeting with EU Commissioner @StylianidesEU. Discussed our perspectives on Afghanistan and Iran. Spoke of our expectations for better governance and more development in Jammu, Kashmir and Ladakh. pic.twitter.com/UDNwQLrq7u
ભારત દ્વારા 5 ઓગસ્ટના રોજ જમ્મૂ-કાશ્મીરના વિશેષ દરજ્જાને પૂરો કરી બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજન કરી દીધુ છે. ભારત દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય બાદથી પાકિસ્તાન બોખલાયું છે. પાકિસ્તાને સૌથી પહેલા વેપાર પર પ્રતિબંધ મૂક્યો, પછી એરસ્પેસ આંશિક રીતે બંધ કર્યું તેમજ ભારતીય સિનેમા, સમજોતા એક્સપ્રેસ અને થાર એક્સપ્રેસ સેવા પર પ્રતિબંધ લાદયો.