ભારતમાં કોરોના વાયરસનો કુલ આંક 8 લાખ કેસ સુધી પહોંચ્યો છે. દેશમાં શુક્રવારે સવાર સુધીમાં લગભગ 7.95 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે. થોડા કલાકોમાં જ આ સંખ્યા 8 લાખને પાર કરશે. દેશમાં પહેલો કોરોના કેસ 30 જાન્યુઆરીએ આવ્યો હતો. પણ ત્યારબાદ કોરોના અટકવાનું નામ લઈ રહ્યો નથી. દેશમાં અત્યાર સુધીમાં 21.62 હજાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તો સારી વાત એ છે કે 5 લાખ લોકોએ રાહત મેળવી છે. દેશમાં રિકવર રેટ 63% પહોંચ્યો છે. ભારતમાં છેલ્લા 2 દિવસમાં લગભગ 25-25 હજાર કેસ આવ્યા છે. આ ટ્રેન્ડ કાયમ રહેશે તો દેશમાં 17 જુલાઈ સુધીમાં કોરોનાના 10 લાખ કેસ હશે. અને જુલાઈ ખતમ થતાં તે 14 લાખની આસપાસ પહોંચશે.
ભારતમાં કોરોનાનો કહેર
આજે કોરોનાનો કુલ આંક 8 લાખને પાર કરશે
દેશમાં 17 જુલાઈ સુધીમાં કોરોનાના 10 લાખ કેસ હશે
ભારતમાં કોરોના વાયરસને લઈને એક વાતે આશા જગાવી છે તે છે કોરોનાનો રિકવરી રેટ. વર્લ્ડોમીટર અનુસાર દેશમાં કોરોનાથી સંક્રમિત થનારા 62 ટકા લોકો સ્વસ્થ થયા છે. દેશમાં ડેથ રેટ પણ દુનિયાની સરખામણીએ સંતોષકારક છે. દુનિયામાં પ્રતિ 10 લાખ આબાદી પર 71 ટકા લોકોના જીવ ગયા છે. ડેથ રેટ 16 ટકા રહ્યો છે અને અત્યાર સુધીમાં 5 લાખ લોકો રિકવરી મેળવી ચૂક્યા છે. જ્યારે 2.77 લાખ લોકો હજુ પણ સંક્રમિત છે.
દેશમાં 17 જુલાઈ સુધીમાં કોરોનાના 10 લાખ કેસ હશે
કોરોનાના કુલ આંક અને ટ્રેન્ડ પર નજર કરીએ તો ભારતમાં છેલ્લા 2 દિવસમાં લગભગ 25-25 હજાર કેસ આવ્યા છે. એટલે કે દર 4 દિવસમાં દેશમાં 1 લાખ લોકો સંક્રમિત થઈ રહ્યા છે આ ચિંતાનો વિષય છે. આ ટ્રેન્ડ કાયમ રહેશે તો દેશમાં 17 જુલાઈ સુધીમાં કોરોનાના 10 લાખ કેસ હશે. અને જુલાઈ ખતમ થતાં તે 14 લાખની આસપાસ પહોંચશે.
8 દિવસમાં વધ્યા છે 1.82 લાખ કેસ
ભારતમામં જુલાઈના પહેલા 8 દિવસમાં કોરોનાના 1.82 લાખ નવા કેસ આવ્યા છે. 30 જૂને દેશમાં 5.85 લાખ કેસ હતા જે 8 જુલાઈ સુધીમાં 7.67 લાખ સુધી પહોંચ્યા હતા. એટલે કે જુલાઈની શરૂઆતના 8 દિવસમાં ભારતમાં લગભગ 22.80 હજાર કેસ આવ્યા છે. જુલાઈના બીજા અઠવાડિયામાં તે 24 હજારની આસપાસ રહી શકે છે.
અમેરિકામાં છે સૌથી વધુ કેસ
દુનિયાની વાત કરીએ તો અત્યારે 1.23 કરોડ કેસ છે અને 5.55 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દુનિયામાં સૌથી વધુ કેસ અમેરિકામાં છે. અમેરિકામાં 8 જુલાઈ સુધી 31.58 લાખ કેસ હતા. અમેરિકા બાદ સૌથી વધુ કેસ બ્રાઝિલમાં છે. બ્રાઝિલમાં અત્યાર સુધીમાં 17.16 લાખ કેસ છે. ભારત ત્રીજા ક્રમે છે.