મોદી સરકાર દ્વારા ફરી વિશ્વના દેશોને ભારતીય વેક્સિન આપવામાં આવશે. સાથેજ વેક્સિન કંપનીઓ દ્વારા હવે પ્રોડ્કશન પણ વધારવામાં આવશે તેવું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું છે.
ભારત ફરી વિદેશોમાં વેકિસન મોકલવાનું શરૂ કરશે
વેકેસિન કંપનીઓ દ્વારા પ્રોડક્શન વધારવામાં આવશે
ટૂંક સમયમાં ભારત અન્ય દેશોને આપશે વેક્સિન
ભારતમાં વિશ્વનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આવા સમયે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવીયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે આવતા મહિને ઓક્ટોમ્બરમાં 30 કરોડથી વધું ડોઝ મળવાની સંભવાના છે. સાથેજ આવતા મહિનાથી વેકેસિનનું પ્રોડકશન પણ વધારવામાં આવશે.
વેક્સિન મૈત્રી કાર્યક્રમને આગળ વધારવામાં આવશે
વધુમાં મનસુખમાંડવિયાએ કીધું કે ચોથા ક્વાર્ટરમાં વેક્સિન મૈત્રી કાર્યક્રમને પણ આગળ વધારવામાં આવશે. એટલે કે અન્ય દેશોને પણ ભારત તરફથી ટૂંક સમયમાં હવે વેક્સિન આપવામાં આવશે.
સપ્ટેમ્બરમાં 26 કરોડ ડોઝ ભારતને મળ્યા
આ મહિને વેક્સિન કંપનીઓ દ્વારા ભારતને 26 કરોડ જેટલા વેક્સિનાના ડોઝ મળ્યા છે. જેથી હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે વેક્સિનનો અમુક સ્લોટ કોવૈક્સ પ્રોગ્રામ અંતર્ગત બીજા દેશોને આપવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય વિદેશનાં જતો વેક્સિનનો સ્લોટ રોક દીધો હતો. પરંતુ હવે પ્રોડક્શન વધતા ફરી વિદેશોમાં વેક્સિન મોકલવામાં આવશે.
વેક્સિન કંપનીઓ પ્રોડક્શન વધારશે
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે દેશમાં વેક્સિનેશન ઝડપથી આગળ વધી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યોમાં તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પૂરતા પ્રમાણમાં વેક્સિનનો સ્લોટ આપવામાં આવી રહ્યો છે. ત્યારે વધુંમાં વેક્સિન કંપનીઓ વેક્સિનનું પ્રોડકશન હજું વધારવાની છે. જેથી હવે સરકાર દ્વારા વિદેશોમાં ભારતની વેક્સિન મોકલવામાં આવશે.
ભારતમાં 80 કરોડ લોકોનું વેક્સિનેશન
ઉલ્લેખનીય છે કે ભારતમાં અત્યાર સુધીમાં 80 કરોડ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. જેનું પરિણામ એ છે કે દિવસેને દિવસે કોરોનાના કેસ પણ હવે દેશમાં ઘટી રહ્યા છે. જોકે વેક્સિન કંપનીઓ પ્રોડક્શન વધારશે. જેથી વધું માત્રમાં દેશને વેક્સિન મળી રહેશે. જેથી હવે વિદેશોમાં પણ ભારતની વેક્સિન સરકાર દ્વારા મોકલવામાં આવશે.