ભારતીય વાયુસેનાએ ચીન સાથે બોર્ડર પર થયેલ અથડામણ બાદ પેટ્રોલિંગ વધારી દીધેલ છે. તો આ સિવાય ત્યાં સૈનિકોની ટ્રેનિંગનાં પણ અભ્યાસો કરવામાં આવશે. ત્યારે સીમા પર લડાકૂ વિમાનો ઊડતાં દેખાયા છે ત્યારે IAFએ સમગ્ર ઘટનાની માહિતી આપી છે.
ભારતીય વાયુસેના LAC નજીક કરશે સૈનિકોની ટ્રેનિંગ
લડાકૂ વિમાન પરિક્ષણ અભ્યાસ બોર્ડર નજીક થશે- IAF
ભારત-ચીન તણાવ મુદે પણ કર્યાં ખુલાસા
ભારતીય વાયુસેનાએ કહ્યું કે પૂર્વી વાયુસેના કમાંડ ટૂંક જ સમયમાં ઉત્તરી-પૂર્વી ક્ષેત્રનાં સૈનિકોની ટ્રેનિંગ માટે એક અભ્યાસ સેશન આયોજિત કરશે. તેમણે જણાવ્યું કે આ અભ્યાસનો તવાંગમાં થયેલ ભારત-ચીન અથડામણથી કોઇપણ પ્રકારનાં લેવા-દેવા નથી.
IAFએ અભ્યાસ મુદે આપી જાણકારી
IAFએ જણાવ્યું કે સીમા પર થનારો અભ્યાસ સંપૂર્ણરીતે પ્લાન કરવામાં આવ્યો છે, તેનો હાલમાં તવાંગમાં થયેલ અથડામણથી કોઇ લેવા-દેવા છે નહીં. તેમણે આગળ જણાવ્યું કે સીમા પર થઇ રહેલ વિમાન પરિક્ષણ અભ્યાસ એવા સમયે થઇ રહ્યો છે જ્યારે ભારતીય વાયુસેનાને છેલ્લા કેટલાક અઠવાડિયાઓમાં બે કે ત્રણ વખત પોતાના લડાકૂ વિમાનોની ઇમેરજન્સીમાં જરૂર પડી હોય.
LAC નજીક ચીનની હલચલ
સૂત્રો અનુસાર વાસ્તવિક નિયંત્રણ રેખા LACની નજીક ચીની વિમાનોની માહિતી મળ્યાં બાદ ભારતીય વાયુસેનાએ તેમને હાંકી કાઢવા માટે લડાકૂ વિમાનોને મોક્લયાં હતાં. ભારતીય વાયુસેના ચીની ગતિવિધિયો પર નજર રાખવા માટે સતત પેટ્રોલિંગ પણ કરી રહી છે. પેટ્રોલિંગ માટે લડાકૂ હવાઇ વિમાનોનો ઉપયોગ થઇ રહ્યો છે.
રાજનાથસિંહે સંસદમાં આ વિષય પર આપી માહિતી
તેમણે કહ્યું કે ભારતીય સૈનિકોએ 9 ડિસેમ્બરનાં સીમા પર થયેલ અથડામણ દરમિયાન ચીની સૈનિકોને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરતાં રોક્યો છે. તેમણે જણાવ્યું કે ભારતીય સૈનિકોએ આ અથડામણમાં લાઠી અને અન્ય હથિયારોનો ઉપયોગ કર્યો છે પરંતુ બંદૂકોનો ઉપયોગ કર્યો નથી. જેના કારણે બંને પક્ષોને ઘા લાગ્યો છે.
2020માં પણ થઇ હતી અથડામણ
હિમાલઇ ક્ષેત્ર તવાંગમાં બંને દેશોની વચ્ચે હાલમાં અથડામણ થઇ તેવી જ અથડામણ 2020માં લદાખનાં ગલવાન વેલીમાં થઇ હતી. તે અથડામણમાં 20 ભારતીયો અને 4 ચીની જવાનોનું મૃત્યુ થયું હતું. ચાર દિવસ બાદ આવેલ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે તણાવને શાંત કરવા માટે બંને પક્ષોનાં કમાન્ડરની વચ્ચે ફ્લેગ મીટિંગ થઇ હતી.