ભારતમાં કોરોનાના કેસ વચ્ચે જોવા મળી રહેલી ઓક્સિજનની અછતને દૂર કરવાના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલુ છે ત્યારે ફ્રાન્સે મદદનો હાથ લંબાવ્યો છે.
ભારતમાં ઓક્સિજનની ભારે અછત
ફ્રાન્સે ભારતને મદદ કરવા આશ્વાસન આપ્યું
ફ્રાન્સ ભારતને મોબાઈલ ઓક્સિજન જનરેટર્સ અને ઓક્સિજન કન્સેન્ટર્સ આપશે
સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફ્રેન્ચ સરકારે ભારતને મોબાઇલ ઓક્સિજન જનરેટર અને ઓક્સિજન કન્સન્ટ્રેટર ઉપલબ્ધ કરાવવાનું આશ્વાસન આપ્યું છે. ફ્રેન્ચ કંપની એરલિફ્ટએસે ભારતને મળતી તમામ ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન સપ્લાય ભારતીય હોસ્પિટલો ઉપલબ્ધ કરાવવાનો વાયદ કર્યો છે.
સંસાધન પ્રદાન કરવા માટે ભારતનો સંપર્ક કર્યો
આ ઉપરાંત, ઓક્સિજન ઉત્પાદનમાં મહત્વપૂર્ણ પરમાણુ તકનીકમાં નિષ્ણાંત ફ્રાન્સની અન્ય કંપની એરકેમાએ પણ ભારતને મદદ કરવા તકનીકી કુશળતા અને સંસાધનો પૂરા પાડવા સંપર્ક કર્યો છે.
એરલિફ્ટ વિકલ્પનો ઉપયોગ કરવો શક્ય છે
પેરિસમાં ભારતીય દૂતાવાસ ફ્રેન્ચ સરકારની સત્તાવાર એજન્સીઓ અને કંપનીઓના સંપર્કમાં છે. જેથી આ પુરવઠો અને ઉપકરણો વહેલી તકે ભારતમાં પરિવહન કરી શકાય. એરલિફ્ટ વિકલ્પનો ઉપયોગ કરવો શક્ય છે.
ભારતમાં 3.40 લાખથી વધુ નવા કેસ
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3.40 લાખથી વધુ નવા કેસ આવ્યા છે અને સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે કુલ કેસના 74.15 ટકા કેસ આ 10 રાજ્યોના છે જેના કારણે ચિંતા વધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી શનિવારે કહેવાયું છે કે કોરોનાના દૈનિક નવા કેસમાં 74.15 ટકાનો વધારો થયો છે. આ કેસમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને દિલ્હી સહિત કુલ 10 રાજ્યોનો સમાવેશ થાય છે. મંત્રાલયે કહ્યું કે મહારાષ્ટ્ર, કેરળ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, બિહાર અને પ.બંગાળ સહિતના રાજ્યોમાં સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે.
ભારતમાં કોરોના વાયરસના સંક્રમણમાં વધારો
છેલ્લા 24 કલાકમાં ભારતમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે જે ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3 લાખ 49 હજાર નવા કેસ આવ્યા છે અને સાથે છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2 લાખ 15 હજાર દર્દી સાજા થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. 24 કલાકમાં ભારતમાં 2761 દર્દીના મૃત્યુ થયા છે. દેશમાં કુલ 1 કરોડ 69 હજાર કોરોના કેસ નોંધાઈ ચૂક્યા છે. હાલ 26 લાખ 74 હજાર કોરોના એક્ટિવ કેસ મળી રહ્યા છે તો સાથે કુલ 1 લાખ 92 હજાર લોકોના મૃત્યુ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. કોરોના બાદ કુલ 1 કરોડ 40 લાખ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 67 હજાર નવા કેસ આવતાં સ્થિતિ વણસી છે.
કુલ કેસના 74.15 ટકા કેસ આ 10 રાજ્યોના
મંત્રાલયે કહ્યું કે દેશમાં સામે આવેલા સંક્રમણના કુલ કેસમાં 74.15 ટકા કેસ કુલ 10 રાજ્યોમાંથી આવી રહ્યા છે. જેમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થઈ રહ્યો છે.