પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય કુલભૂષણ જાધવને લઇને પાકિસ્તાન વિદેશ મંત્રાલયે એક મોટું નિવેદન આપ્યું છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે ભારતને કુલભૂષણ જાધવને સોંપવાનીના પાડી દીધી છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મામલામાં આંતરરાષ્ટ્રીય કોર્ટે 13 એપ્રિલે સુનાવણી કરી હતી. પાકિસ્તાનની સૈન્ય કોર્ટથી જાસૂસી કરવાના ષડયંત્ર રચવાના આરોપમાં ફાંસીની સજા મેળવેલ જાધવના મામલમાં ભારત અને પાકિસ્તાન બંને પોત પોતાના પુરાવા અને પક્ષ ICJની સામે રાખી ચુક્યા છે. ભારતે ગત વર્ષે સપ્ટેમ્હરમાં જાધવના મામાલે આઇસીજેની સમક્ષ પોતાનો લિખિત પક્ષ મૂક્યો હતો.
આ પહેલા પાકિસ્તાની ખાનગી એજન્સી આઇએસઆઇ પૂર્વ રાષ્ટ્રપતિ અસદ દુરાનીએ કહ્યું હતું કે પાકિસ્તાની જેલમાં દાખલ કુભૂષણ જાધવના મામલાનો ઉકેલ લાવવા માટે કોઇ પ્રયત્ન કરવામાં આવ્યો નહતો. અસદ દુરાની અનુસાર પાકિસ્તાનને કુલભૂષણ જાધવને ભારત મોકલવો જોઇતો હતો. અસદ દુરાનીએ ખાનદી એજન્સીઓ અને એમના કાર્યોના આધાર પર એક પુસ્તક લખ્યું હતું.