લદ્દાખમાં સરહદ વિવાદની વચ્ચે, ચીન તેના બેવડી ચાલ રમી રહ્યું છે. જ્યારે ચીની સરકાર શાંતિનો દેખાડો કરી રહી છે. તે જ સમયે, બીજી બાજુ, ત્યાંનો સરકારી મીડિયા યુદ્ધ વિશે ઉશ્કેરણીજનક નિવેદનો આપતા રોકી રહ્યી નથી.
લદ્દાખમાં સરહદ વિવાદની વચ્ચે ચીની મીડિયાનું નિવેદન
ચીન સામેની જંગમાં ભારત હારી જશે
શનિવારે, ચીની સરકારના ભોપુ મીડિયા ગ્લોબલ ટાઇમ્સે ભારતને ખુલ્લેઆમ ધમકી આપી હતી કે, સરહદ યુદ્ધની સ્થિતિમાં ભારતને જીતવાની કોઈ તક નહીં હોય.
લશ્કરી શક્તિને કારણે ભારતને ધમકી આપી છે
ગ્લોબલ ટાઇમ્સે શનિવારે એક સંપાદકીયમાં કહ્યું હતું કે અમે ભારતીય પક્ષને યાદ અપાવી રહ્યા છીએ કે તેની સૈન્ય શક્તિ સહિત ચીનની રાષ્ટ્રીય તાકાત ભારત કરતા વધુ મજબૂત છે. જોકે ચીન અને ભારત બંને મહાન શક્તિઓ છે, જ્યારે યુદ્ધની ક્ષમતાની વાત કરવામાં આવે તો ભારતીય પક્ષ હારી જશે. જો સરહદી યુદ્ધ શરૂ થશે, તો ભારતને જીતવાની કોઈ તક નહીં હોય.
શાંતિનો ડોળ યથાવત
ચીની મીડિયાએ શાંતિનો રાગ આલાપતા કહ્યું કે અમને આશા છે કે સંરક્ષણ પ્રધાનોની બેઠક બંને દેશોના નેતાઓની બેઠકની સર્વસંમતિ પર પાછા ફરવા માટેનો અગત્યનો વળાંક બની રહેશે. દરેક બાજુ સરહદ પર તણાવ ઓછો કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે.
આપને જણાવી દઈએ કે, ચીનના સંરક્ષણ પ્રધાને ભારતીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને મળવા અનેક અનુરોધ કર્યા હતા, જે મોસ્કોમાં શંઘાઇ સહકાર સંસ્થાની બેઠકમાં ભાગ લેવા આવ્યા હતા. જે બાદ ભારતે ચીનને ઉશ્કેરણી બંધ કરવા જણાવ્યું હતું.
રાષ્ટ્રવાદને ગણાવ્યું ભારતના એક્શનનું કારણ
ગ્લોબલ ટાઇમ્સે રાષ્ટ્રવાદને ચીનની વિરુદ્ધ ભારતની કાર્યવાહી માટે જવાબદાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સરહદના પ્રશ્નોમાં ભારતીય જનતાનો અભિપ્રાય ઊંડા અને વ્યાપકપણે સામેલ છે. દેશી રાષ્ટ્રવાદ દ્વારા દેખીતી રીતે ભારતીય સૈનિકોને હાઈજેક કરવામાં આવ્યા છે. તેથી, ચીન અને ભારત વચ્ચે સરહદ વિવાદના સંયુક્ત નિયંત્રણ સિવાય, ભારતે પણ લોકમત અને રાષ્ટ્રવાદનું સંચાલન કરવું જોઈએ. તે તેમના દેશ અને તેમના લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.