બ્રેકિંગ ન્યુઝ
VTV / India will give befitting reply to anyone who tries to cast evil eye on it: Rajnath Singh
Hiralal
Last Updated: 10:17 PM, 16 October 2022
ADVERTISEMENT
રક્ષા મંત્રી રાજનાથ સિંહે નાગારિકોને સાંપ્રદાયિક્તાથી દૂર થઈ રાષ્ટ્રીય ગૌરવ અને દેશભક્તિના ગુણો આત્મનિર્ધાર કરી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા જણાવ્યું હતું. રાજનાથ સિંહે કહ્યું હતું સશત્ર દળના જવાન જાતિ અને ભાષા જેવી બાબતો દૂર થઈ નિસ્વાર્થ ભાવથી રાષ્ટ્રની સેવામાં કામ કરે છે. તેમજ દેશના લોકોને જુદા જુદા પ્રકારની મુશ્કેલીમાંથી બચાવવાની પણ કામગીરી પણ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, દરેક નાગરિકને કર્તવ્યનું પાલન કરી દેશના સ્વતંત્રતા સેનાનીઓ અને સૈનિકો અને આદર્શો અને સંકલ્પોને આગળ લઈ જાઓ.
નામ લીધા વિના રાજનાથ સિંહની ચેતવણી
પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં ચીનના સીમા વિવાદ બાબતે રક્ષા મંત્રી રાજનાથ સિંહએ ચીન અને પાકિસ્તાનનો નામ લીધા વિના ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે, કોઈ પણ ભારત પર ખરાબ નજર નાખવાનો પ્રયાસ કર્યો છે તો પણ તમને જડબાતોડ જવાબ મળશે. રાજનાથ સિંહએ વધુમાં કહ્યું હતું કે, અમારા જવાનો સીમાની કડક સુરક્ષા કરે છે સાથો સાથે દેશની કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા હર હંમેશ તત્પર રહે છે.
ADVERTISEMENT
ભારત શાંતિપ્રિય દેશ, કોઈને નુકશાન નથી કરતો
રાજનાથ સિંહએ કહ્યું હતું કે, અમારો દેશ શાંતિ પ્રિય છે અને અમે કોઈ પણ દેશને નુકસાન પહોંચાડવાનું કામ નથી કર્યું પરંતું અમારી શાંતિ ડોહળવાની કોશિસ કરી છે તો તેનો આકરો જવાબ પણ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.