ભારત આવતા મહિને થનારા સાતમા પરીક્ષણ બાદ ઔપચારિક રીતે નિર્ભય સબસોનિક ક્રૂઝ મિસાઈલને ભારતીય સેના અને નૌસેનામાં સામેલ કરશે. ચીન સાથે મે મહિનાની શરૂઆતમાં જ ડ્રેગનને જવાબ આપવા માટે ભારતે Lac પર આ મિસાઈલને પહેલાંથી તૈનાત કરી દીધી છે.
સેનામાં સામેલ થશે આ નવી મિસાઈલ
જાણો નિર્ભય મિસાઈલની ખાસિયત
ડ્રેગનને હંફાવશે આ ખાસ મિસાઈલ
આ છે નિર્ભય મિસાઈલની ખાસિયત
નિર્ભય મિસાઈલની મારક ક્ષમતા 1000 કિલોમીટર છે. આ મિસાઈલ જમીનથી 100 મીટરથી 4 કિમીની વચ્ચે ઉડાન ભરી શકે છે. તે ઝડપથી ટારગેટને શોધી શકે છે. નિર્ભય મિસાઈલ ફક્ત જમીનથી જમીન પર વાર કરી શકે છે. તેનું નિર્માણ રક્ષા અનુસંધાન વિકાસ સંગઠને કર્યું છે. 0.7 મૈકની ગતિથી ચાલનારી આ મિસાઈલમાં ટેરેન હગિંગ અને સી- સ્કિમંગની ક્ષમતા છે. તેના કારણે તેને શોધી શકાતી નથી. દુશ્મન તેનો જવાબ આપવામાં નિષ્ફળ રહે છે. તિબ્બત અને ઝિજિયાંગમાં પીએલએના પશ્ચિમી કમાન્ડે 2000 કિમીની રેન્જ અને દૂરીથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલોને તૈનાત કરી છે.
રક્ષામંત્રીએ આપી મંજૂરી
રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ઔપચારિક રીતે નિર્ભય મિસાઈલને સેનામાં સામેલ કરવાની મંજૂરી મળી છે. સેનાએ નવી મિસાઈલને તૈનાત કરવાની ઔપચારિક રાહ જોઈ નથી. ચીનની વિરુદ્ધ એલએસી પર મિસાઈલ પહેલાંથી તૈનાત કરી દેવામાં આવી છે.