ભારત સરકાર ચીન સાથે જોડાયેલી સીમા પાસે 44 માર્ગ બનાવવાની તૈયારી કરી રહી છે. આ ઉપરાંત સરકાર પાકિસ્તાન સાથે જોડાયેલી પંજાબ અને રાજસ્થાનમાં 2100 કિમી લાંબા મુખ્ય અને સંપર્ક માર્ગ બનાવશે.
આ માર્ગ ભારત માટે રણનૈતિક દ્રષ્ટિએ ઘણાં મહત્વનાં હશે. CPWDનાં રિપોર્ટમાં માર્ગ તૈયાર કરવાની વાત કરવામાં આવી છે. જેમાં ચીન બોર્ડર પર 44 માર્ગો તૈયાર કરાશે. જેથી સંઘર્ષ સ્થિતિમાં સેના ઝડપથી બોર્ડર સુધી પહોંચી શકશે.
ભારત અને ચીન વચ્ચે 4 હજાર કિમી બોર્ડર છે. જે જમ્મૂ-કશ્મીરથી લઈને અરૂણાચલ પ્રદેશ સુધી છે. ગત વર્ષે ડોકલામમાં માર્ગ નિર્માણને લઈને ભારત અને ચીનની સેના આમને સામને આવી ગઈ હતી. 73 દિવસ સુધી ચાલેલો વિવાદ 28 ઓગસ્ટે સમજૂતી બાદ સમાપ્ત થયો હતો. જે બાદ ચીને અહીં માર્ગ નિર્માણ કાર્ય રોકી દીધું હતું. રિપોર્ટ મુજબ 44 માર્ગનાં નિર્માણમાં 21 હજાર કરોડનો ખર્ચ થશે.
આ માર્ગ પાંચ રાજ્ય જમ્મૂ-કશ્મીર હિમાચલ સિક્કીમ ઉત્તરાખંડ અને અરૂણાચલ પ્રદેશમાં બનશે. જ્યારે રાજસ્થાન અને પંજાબમાં 5400 કરોડનાં ખર્ચે માર્ગ તૈયાર થશે. જેમાં રાજસ્થાનમાં 945 કિમી મુખ્ય અને 533 કિમી સંપર્ક માર્ગ બનશે. જ્યારે પંજાબમાં 482 કિમી મુખ્ય અને 219 કિમી સંપર્ક માર્ગ બનાવાશે.
કેન્દ્રીય લોકનિર્માણ વિભાગનાં દસ્તાવેજો અનુસાર સરકાર રણનૈતિક દ્રષ્ટિથી ખૂબ મહત્વપૂર્ણ સીમાંત ક્ષેત્રોમાં 44 માર્ગો બનાવવા જઇ રહેલ છે. આનું નિર્માણ ચીન સાથે જોડાયેલ વિસ્તારો અને પાકિસ્તાન સાથે જોડાયેલ રાજસ્થાન અને પંજાબનાં ક્ષેત્રમાં હશે.
આ મહીને રજૂ થયેલ સીપીડબલ્યૂડીની વાર્ષિક રિપોર્ટ અનુસાર સરકારે ભારત-ચીન સીમા પર રણનૈતિક ઉદ્દેશ્યથી ખૂબ જ મહત્વપૂર્ણ 44 માર્ગોનાં નિર્માણનો આદેશ આપ્યો છે. આ માર્ગોનાં નિર્માણનો ઉદ્દેશ્ય એ છે કે કોઇ પણ આપાત સ્થિતિમાં પણ સેના તત્કાલ સીમા સુધી પહોંચી શકે. એવામાં આ માર્ગોનું નિર્માણ રણનૈતિક ઉદ્દેશ્યથી ચીનને મુકાબલે ઉપલબ્ધિ હાંસલ કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.