પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યુ કે, ભારત 2024માં 5 ટ્રિલિયન ડૉલર ( લગભગ 343 લાખ કરોડ રપિયા)ની અર્થવ્યવસ્થા એટલા માટે બનશે કેમકે પહેલાની સરકારે આ માટે મજબૂત પાયો તૈયાર કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી વર્ષોમાં ભારતની ઈકોનોમીને 5 ટ્રિલિયન ડોલર કરવાની વાત કરી રહ્યા છે.
પ્રણવ મુખર્જીએ ગુરુવારે દિલ્હીમાં ‘ફરદરિંગ ઈન્ડિયાઝ પ્રોમિસ’ વિષય પર ભાષણ આપતા કહ્યું કે, આર્થિક અને સામાજિક સેક્ટરોમાં યોગ્ય કામ થઈ રહ્યું છે,કારણ કે આઝાદી બાદથી આ માટે ભારતીય લોકો તેને યોગ્ય કરવાના પ્રયાસમાં લાગી ગયા છે. પ્રણવ મુખર્જીએ PM મોદીની ટીકા કરતા કહ્યું કે, તેમને પંચવર્ષીય યોજનાઓ જ નહીં પણ યોજના પંચને પણ ખતમ કરી દીધું છે.
પ્રણવ મુખર્જી અનુસાર નાણામંત્રી કહી શકે છે કે ભારત આગામી પાંચ વર્ષોમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા વાળો દેશ બની જશે. પરંતુ તેના માટેનો મજબૂત આધાર બ્રિટિશોએ નહીં પણ ભારતીયોએ તૈયાર કર્યો છે. અમે ઝીરોથી ભારતની અર્થવ્યવસ્થાને 1.8 ટ્રિલિયન ડોલર સુધી લાવ્યા હતા. જે લોકો કોંગ્રેસના 55 વર્ષના શાસનની ટીકા કરતા આવ્યા છે છે, તેમને જોવું જોઈએ કે આઝાદી સમયે ભારત ક્યાં હતુ અને અમે કેટલું આગળ લાવ્યા. હા, અન્ય લોકોએ પણ યોગદાન આપ્યુ છે પરંતુ આધુનિક ભારતનો પાયો અમારા સંસ્થાપકોએ નાખ્યો હતો. જેમણે યોજનાબદ્ઘ અર્થવ્યવસ્થામાં મજબૂતીની સાથે ભરોસો હતો, જ્યારે આજે એવુ નથી.
સમુદ્ધ ભારત ફાઉન્ડેશનના કાર્યક્રમમાં તેમને કહ્યું કે, ''પંચવર્ષીય યોજનાઓએ અર્થવ્યવસ્થા, સ્વાસ્થ્ય અને શિક્ષા માટે દ્રષ્ટિકોનું નિર્માણ કર્યું છે. આ યોજનાઓના આધારે રોકાણ કરવામાં આવતું હતું. હું એ વાતથી સહમત છું કે બિન-કોંગ્રેસી સરકારોએ પણ દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. મંગળયાનની સફળતા નિરંતર જમીન સ્તર પર કરાતા પ્રયાસોથી કરતા કામને કારણે મળી છે. ભારતને ભૌતિક રીતે ઘણી વખત વિજય મળ્યો છે પરંતુ આધ્યાત્મિક રીતે મળ્યો નથી. મને વિશ્વાસ છે કે ભારત હંમેશા તેમાંથી બહાર આવી રહ્યો છે. ''