પુલવામાના આતંકી હુમલા બાદથી દેશવાસીઓ પાકિસ્તાન વિરૂદ્ધ આકરા પગલાં ઉઠાવાની માગ ઉઠી હતી. તેને ધ્યાને રાખીને મોદી સરકારે કેટલાંક પગલાં લીધાં છે. હવે સરકાર સિંધુ જળ સંધિમાં પોતાના હિસ્સાનું પાણી રોકવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આ મામલે નિવેદન આવ્યા છે.
શું છે આ સમગ્ર મામલો?
ગઈકાલે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ એક ટ્વિટમાં જળસંધી પર નિવેદન આપ્યું હતું. ભારત સરકારે સિંધુ જળ સંધિમાં પોતાના હિસ્સાનું પાણી રોકવાનો નિર્ણય કર્યો છે. જે અત્યાર સુધી વહીને પાકિસ્તાન જતું હતું. ગડકરીની આ ટ્વિટે દેશભરમાં અનેક સવાલો ઉભા કર્યા હતા. સૂત્રોનું કહેવું છે કે, આ કોઇ નવી વાત નથી. નિતિન ગડકરીના નિવેદનમાં કોઇ નવી વાત નથી. ભારત આની પહેલાં ઉરી હુમલા સમયે પણ આવો નિર્ણય લઇ ચૂક્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગડકરીએ ટ્વિટમાં દર્શાવેલા તમામ પ્રોજેક્ટ રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર કરાયા છે. જમ્મુ-કશ્મીરમાં રાવી નદીની સહાયક નદી છે. તેના પર સરકાર બંધ બનાવા જઇ રહી છે. 1960મા ભારત અને પાકિસ્તાનની વચ્ચે થયેલી સિઁધુ જળ સંધિની અતંર્ગત સિંધુ ઘાટીની પૂર્વ નદીઓ રાવી, સતલુજ, અને વ્યાજનું બધું પાણી ભારતને મળશે.
જ્યારે પશ્ચિમી નદીઓ સિંધુ, જેલમ અને ચિનાબનું પાણી કોઇપણ ગતિરોધ વગર પાકિસ્તાનને મળશે. ભારત, પાકિસ્તાનનો મુકાબલો ઊંચી જગ્યા પર છે એવામાં રાવી, સતલુજ, અને વ્યાસનો ઉપયોગ થયા વગરનું પાણી વહીને પાકિસ્તાન જતું રહે છે.