ભારતીય બેટ્સમેન રવિન્દ્ર જાડેજા સાથે જોડાયેલા રન આઉટ મામલે દક્ષિણ આફ્રિકાના એમ્પાયર શોન જ્યોર્જ મુશ્કેલીમાં મુકાયા છે. ભારતીય ઇનિંગ દરમિયાન ચેન્નાઇમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી પ્રથમ વન-ડેમાં જ્યોર્જે શરૂઆતમાં જાડેજાને રન આઉટ આપ્યો ન હતો, પરંતુ કેરેબિયન ખેલાડીઓના વિરોધ પછી તેણે આ મામલો થર્ડ એમ્પાયરને સોંપ્યો હતો, ત્યારબાદ જાડેજાને રન આઉટ જાહેર કરાયો હતો.
કેરેબિયન ખેલાડીઓના વિરોધ પછી જાડેજાને રન આઉટ આપ્યો
રવિન્દ્ર જાડેજાને રન-આઉટ કરવાને લઈને ડ્રેસિંગ રૂમમાં કેપ્ટન વિરાટ કોહલી ખૂબ જ નારાજ દેખાયો હતો. ખરેખર, મેદાનમાં એમ્પાયરે ઘણાં સમય પછી રન આઉટ આપ્યું હતું, જેનાથી કોહલી રોષે ભરાયો હતો. ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતેની ભારતીય ઇનિંગની 48મી ઓવરમાં જાડેજાએ ઝડપથી એક રન બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફિલ્ડરે નોન-સ્ટ્રાઇકર એન્ડ પર વિકેટ પર સીધો થ્રો માર્યો હતો.
એમ્પાયર શરૂઆતમાં તેને આઉટ જાહેર કર્યો ન હતો
જોકે, એમ્પાયર શોન જ્યોર્જે શરૂઆતમાં તેને આઉટ જાહેર કર્યો ન હતો, પણ જ્યારે મોટી સ્ક્રીન પર રિવ્યૂ જોવામાં આવ્યો તો તે ક્રીઝથી થોડો બહાર હતો. જોકે, વેસ્ટ ઈન્ડીઝના ખેલાડીઓએ તેના માટે અપીલ કરી નહોતી. મેદાન પર હાજર એમ્પાયર્સે ઘણાં સમય બાદ નિર્ણય માટે થર્ડ એમ્પાયરને પૂછ્યું હતું. જોકે, ત્યાં સુધી સ્ક્રીન પર સમગ્ર ઘટનાક્રમ જોવા મળ્યો હતો.
રોસ્ટન ચેઝે મિડ વિકેટથી સીધો થ્રો વિકેટ માર્યો હતો. તેણે એમ્પાયરને અપીલ પણ કરી હતી, જોકે એમ્પાયરે તેને આઉટ કર્યો નહીં. વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન કીરોન પોલાર્ડે એમ્પાયર જ્યોર્જ સાથે વાત કરી, જે પછી થર્ડ એમ્પાયરને ચેક કરવાનું કહ્યું. જેથી જાડેજા રન આઉટ જાહેર કરાયો. જાડેજાએ 21 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 21 રન બનાવ્યા હતા. જ્યારે કોઈ કેરેબિયન ખેલાડીએ જોઈન્ટ સ્ક્રીન પર રિપ્લે જોયું તો આ અંગે વિરોધ કર્યો હતો. મેદાનની બહાર બેઠેલો કેપ્ટન વિરાટ કોહલી આ સમગ્ર ઘટનાક્રમથી નારાજ થયો હતો.