ટીમ ઇન્ડિયાએ પહેલી વખત સ્વતંત્રતા દિવસના અવસરે પોતાના દેશને જીતની ભેટ આપી છે. એટલે કે સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ જે ક્યારેય થયું નથી, એ વિરાટ બ્રિગેડે કરી દેખાડ્યું.
ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં 15 ઓગસ્ટ 2019નો દિવસ ખૂબ જ ખાસ સાબિત થયો છે. ટીમ ઇન્ડિયાએ પહેલી વખત સ્વતંત્રતા દિવસે પોતાના દેશને જીતની ભેટ આપી છે.
કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની વનડે કરિયરની 43મી સેન્ચ્યુરી મારીને ભારતને મેચની સાથે સાથે સીરિઝમાં પણ જીત અપાવી. એની સાથે જ ટીમ ઇન્ડિયાએ ભારતવાસીઓને સ્વતંત્રતા દિવસ પર જીતની ભેટ આપી.
હકીકતમાં વેસ્ટઇન્ડિઝના હાલના પ્રવાસે ટીમ ઇન્ડિયા 14 ઓગસ્ટે વન-ડે સીરિઝમાં છેલ્લી મેચ રમી. 14 ઓગસ્ટે સાંજે 7 વાગ્યાથી શરૂ થયેલા આ નિર્ણાયક મેચનું પરિણામ ભારતીય સમયાનુસાર ગુરુવારે સવારે આવ્યું, જ્યારે કેલેન્ડરમાં તારીખ બદલાઇને 15 ઓગસ્ટ થઇ ગઇ હતી.
ભારતીય ટીમે સ્વતંત્રતા દિવસે પોર્ટ ઓફ સ્પેનમાં અંતિમ વનડેમાં જીત દાખલ કરી. ઉપરાંક ત્રણ મેચોની વેનડે સીરિઝને 2-0 થી પોતાના નામે કરી. ટીમ ઇન્ડિયાએ 72 વર્ષમાં પહેલી વખત 15 ઓગસ્ટના દિવસે ભારતને જીતની ભેટ આપી છે.
ભારતીય ટીમે સ્વતંત્રતા દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ ઓછી જ રમી છે. આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ પાંચ વખત 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુકી છે. આ તમામ ટેસ્ટ મેચ રહી હતી.
વનડે ઇન્ટરનેશનલની વાત કરીએ તો આવું બીજી વખત થયું છે જ્યારે 14 ઓગસ્ટે ભારતીય મેદાન પર ઊતરી હોય. આ પહેલા ભારતે 14 ઓગસ્ટે 1993માં મોરાતુઆમાં શ્રીલંકાનો સામનો કર્યો હતો, પરંતુ ત્યારે એને 4 વિકેટથી માત મળી હતી.
26 જાન્યુઆરીની વાત કરીએ તો આ દિવસે 1986માં એડિલેડમાં ઓસ્ટ્રેલિયાની સામે વન ડે ભારતને 36 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. એક વખત ફરીથી 26 જાન્યુઆરી 2000 એ એડિલેડ વનડે માં ભારતને ઓસ્ટ્રેલિયાને 152 રનોથી હરાવ્યું હતુ, જ્યારે આ દિવસે 2015માં ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ સિડની વનડે અનિર્ણાયક હતી.
26 જાન્યુઆરી 2016 એ ટી 20 ઇન્ટરનેશનલમાં ભારતે એડિલેડમાં ઓસ્ટ્રેલિયાને 37 રનોથી હરાવ્યું હતું. 2017 26 જાન્યુઆરીએ ટીમ ઇન્ડિયા કાનપુરમાં ઇંગ્લેન્ડ સામે 7 વિકેટથી હાર્યું હતું.