રાજકોટ: રાજકોટમાં રમાઇ રહેલી 2 ટેસ્ટ મેચની સીરિઝના પહેલી હરિફાઇમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પોતાની પહેલી ટેસ્ટ રમી રહેલા પૃથ્વી શો 100 રન બનાવીને શતક ફટકારી છે તો ચેતેશ્વર પુજારા 67 રન પર રમી રહ્યા છે.
ભારતીય ટીમમાં પાંચ બોલરને સ્થાન આપવામાં આવ્યું છે. ફાસ્ટ બોલર તરીકે ઉમેશ યાદવ અને મોહંમદ શામી જવાબદારી સંભાળશે જ્યારે ત્રણ સ્પિનર તરીકે આર. અશ્વિન રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સૌથી અગત્યની વાત એ છે કે ટીનએજર પૃથ્વી શોએ આજે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું છે.
વિન્ડીઝે ભારતે પોતાની અંતિમ ટેસ્ટ ૧૪ ડિસેમ્બર ૧૯૯૪ના રોજ મોહાલીમાં જીતી હતી. એ જ દિવસે કાનપુરમાં કુલદીપ યાદવનો જન્મ થયો હતો. ટીમ ઇન્ડિયાનાે કેપ્ટન વિરાટ એ સમયે ફક્ત છ વર્ષનો હતો. ત્યાર બાદ વિન્ડીઝની ટીમ ભારતીય ધરતી પર જે આઠ ટેસ્ટ રમી છે એમાંથી છમાં પરાજયનો સામનો કર્યો છે જ્યારે બે ટેસ્ટ મેચ ડ્રો રહી છે.