વર્લ્ડ કપ દરમિયાન વિવાદોમાં રહેલા ભારતીય કમેન્ટેટર સંજય માંજરેકરને 3 ઓગસ્ટથી ટીમ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે થનારી સીરિઝની કૉમેન્ટ્રી પેનલમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે.
આ પ્રવાસ માટેના ઑફિશ્યલ બ્રોડકાસ્ટ સોની પિક્ચર્સે પોતાની કૉમેન્ટ્રી પેનલની જાહેરાત કરી દીધી છે અને તેમાં સુનીલ ગાવસ્કર અને વિવિયન રિચર્ડ્સ જેવા દિગ્ગજ પૂર્વ ક્રિકેટર્સને સ્થાન આપવામાં આવ્યુ છે, જ્યારે માંજરેકરનું નામ આપવામાં આવ્યુ નથી.
ઇંગ્લિનશ કૉમેન્ટટરની યાદીમાં રિચર્ડ્સ, ગાવસ્કર, ગ્રીમ સ્વાન, મુરલી કાર્તિક,ડૈરેન ગંગા અને ઇયાન બિશપ શામેલ છે જ્યારે હિન્દી કૉમેન્ટટરની યાદીમાં આશિષ નહેરા, અજય જાડેજા, મોહમ્મદ કૈફ અને વિવેક રાજદાનને શામેલ કરવામાં આવ્યા છે. ગૌરવ કપૂર અને અર્જૂન પંડિત મેચના પ્રી અને પોસ્ટ પ્રોગ્રામ હોસ્ટ કરશે. ટીમ ઇન્ડિયા આ પ્રવાસ દરમિયાન 3 T-20 મેચ, 3 વનડે અને 2 ટેસ્ટ મેચ રમશે. શરૂઆતી 2 T-20 મેચ અમેરિકાના લૉડરહિલમાં રમાશે અને જે પછીને મેચ વેસ્ટ ઇન્ડિઝ ખાતે રમાશે.
Still i have played twice the number of matches you have played and i m still playing. Learn to respect ppl who have achieved.i have heard enough of your verbal diarrhoea.@sanjaymanjrekar
ઉલ્લેખનીય છે કે, ICC ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન સંજય માંજરેકરે રવિન્દ્ર જાડેજાને લઇને કમેન્ટ કરતા કહ્યુ હતુ કે, ''જાડેજા એક અપૂર્ણ ખિલાડી છે અને હું મારી ટીમમાં આવા ખિલાડીને ક્યારેય ના સમાવું.'' જ્યારે જાડેજા આ વાતને લઇને ભડકી ગયો અને જવાબ આપતા કહ્યુ કે, ''હું ભારત માટે તમારા બમણી મેચો રમ્યો છું અને હજુ રમી રહ્યો છુ. કોઇનુ સન્માન કરતા શીખો.'' આ પછી જ્યારે સેમિફાઇનલમાં જાડેજાએ શાનદાર ઇનિંગ રમી તે પછી માંજરેકરની ખૂબ જ ઝાટકણી થઇ હતી અને તેને માફી પણ માંગી હતી.
આ સિવાય પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન ધોની વિશે વિવાદિત નિવેદન કર્યા હતા. તેણે વારંવાર ધોનીની ફિટનેસ અને તેની ધીમી બેટિંગની આલોચના કરી હતી. એવામાં અટકળો છે, કદાચ આજ બધા કારણોસર તેને કૉમેન્ટ્રી પેનલમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.