ભારતે વેસ્ટઈંડીઝને ત્રીજી વન ડેમાં 96 રનોથી કારમી હાર આપી છે. આ જીત સાથે રોહિત બ્રિગેડે મહેમાનોને 3-0થી ભૂંડી હાર આપી છે.
અમદાવાદની ધરતી પર ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન
પ્રથમ બે મેચની માફક ત્રીજી ઈંનિગ્સમાં પણ જલવો બતાવ્યો
શ્રેણીમાં કર્યો વ્હાઈટવોશ
પ્રથમ બે મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ ઈનિંગ્સમાં છ વિકેટ સાથે જીત મેળવ્યા બાદ ભારતે બીજી મેચમાં 238 રનના ટાર્ગેટને સારી રીતે પીછો કર્યો હતો. આ બીજી મેચમાં કૃષ્ણા હીરો બનીને ઉભર્યો હતો. તેને ચાર કેરેબિયાઈ ખેલાડીને આઉટ કરી દીધા હતા. હવે ત્રીજી વન ડે જીતીને ટીમ ઈંડિયાએ મહેમાનોના સૂપડાં સાફ કરી દીધા છે.
ભારતે વેસ્ટઈંડીઝને ત્રીજી વન ડેમાં 96 રનોથી કારમી હાર આપી છે. આ જીત સાથે રોહિત બ્રિગેડે મહેમાનોને 3-0થી ભૂંડી હાર આપી છે. ત્રીજી વન ડે સાથે જોડાયેલી ખાસ અપડેટ માટે અહીં જોતા રહો.
ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 265 રન પર સમેટાઈ ગઈ હતી. શ્રેયસ અય્યરે 111 બોલ પર નવ ચોગ્ગાની મદદથી 80 રનની ઈનિગ્સ રમી હતી. તો વળી ઋષભ પંતે 54 બોલમાં 56 રનની ઈનિંગ્સ રમી હતી. જેને છ ચોગ્ગા તથા એક છગ્ગો લગાવ્યો હતો. વેસ્ટઈંડીઝ તરફથી જેસન હોલ્ડે સૌથી વધારે ચાર વિકેટ લીધી હતી. અલ્ઝારી જોસેફ અને હેડન વોલ્શ જૂનિયરને બેબે સફળતા મળી હતી.
ભારતનો ટોપ ઓર્ડર ફેલ
કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. લાઈવ પીચ પર વેસ્ટઈંડીઝે સારો ફાયદો ઉઠાવ્યો અને અલ્ઝારી જોસફે રોહિત શર્મા અને વિરાટ કોહલીને એક જ ઓવરમાં આઉટ કરીને ખળભળાટ મચાવી દીધો. વિરાટ કોહાલી તો ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. ત્યાર બાદ શિખર ધવનને ઓડીન સ્મિથે આઉટ કર્યો હતો અને ભારતે ફક્ત 42 રન પર 3 વિકેટો ખોઈ દીધી હતી. ત્યાર બાદ ચોથા નંબરે બેટીંગ કરવા આવેલા શ્રેયસે અય્યર અને ઋષભપંતે ટીમને સંભાળી. પંતે પોતાના આગવા અંદાજમાં રમત રમી હતી અને ખૂબ સારી બેટીંગ કરી. જો કે, બંનેએ અમુક જોખમ ભર્યા શોટ રમ્યા પણ પંત અને અય્યરનો સાથ મળ્યો. બંને બેટ્સમેને પોતાની અડધી સદી પુરી કરી અને અય્યર-પંત વચ્ચે સારી એવી ભાગીદારી થઈ.