ભારતનો બેટ્સમેન લોકેશ રાહુલનું ખરાબ પર્ફોમન્સ છેલ્લા કેટલાક સમયથી ટીમ માટે મુશ્કેલી ઊભી કરી રહ્યું છે પરંતુ ટીમ પ્રબંધન સતત એનો બચાવ કરી રહી છે. જેમાં બેટ્સમેન કોચ સંજય બાંગડે કહ્યું કે એમની ટેકનીકમાં કોઇ ખામી નથી.
બેટિંગ માટે સરળ માનવામાં આવી રહેલી હૈદરાબાદની પિચ પર કર્ણાટકનો આ બેટ્સમેન 25 બોલમાં માત્ર ચાર રન બનાવીને આઉટ થઇ ગયો. ક્રીઝ પર એની સાથે બેટિંગ કરી રહેલ પૃથ્વી શો પૂરી રીતે સહજ જોવા મળ્યો.
બાંગડને જ્યારે પૂછવામાં આવ્યું કે રાહુલ બેટિંગ કરતી વખતે જરૂરિયાત કરતાં વધારે વિચારે છે. તો એમને વિસ્તાર પૂર્વક જણાવ્યું કે એને એના હાલના ખરાબ ફોર્મ માટે શું લાગે છે.
બાંગડે કહ્યું 'હાલમાં ઘણા પ્રકારની વાતો કરવામાં આવી રહી છે અને એવામાં તમે ખુદની ટેકનીક માટે ભરોસો નથી. અમારા માટે એ સતત સારું પ્રદર્શન કરનારો ખેલાડી છે. એટલા માટે જ્યારે આવો સમય આવે છે તો એવામાં મારું અને ટીમનું માનવું છે કરે એ વધારે વસ્તુઓ માટે વિચાર કરે નહીં. '
બાંગડે જો કે એ વાત જણાવી નથી કે ભારતીય ટીમ જ્યારે ઓસ્ટ્રેલિયની વિરુદ્ધ સીરિઝ રમશે અને એડિલેડમાં રમાતા પહેલા મેચમાં રાહુલની બેટિંગ નહીં થાય તો શું ટીમનો એકસ્ટ્રા બેટ્સમેન મયંક અગ્રવાલને કોઇ અનુભવ વગર તક આપવામાં આવશે?