ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટઇન્ડિઝની વિરુદ્ધ પહેલી વન ડે માં જોરદાર બેટિંગ કરતાં પોતાના કરિયરની 36મી વન ડે શતક મારી દીધી. કોહલીએ 140 રન બનાવ્યા અને એને 107 બોલની ઇનિંન્ગમાં 21 ચોગ્ગા અને 2 છગ્ગા માર્યા જેને માટે એને 'મેન ઓફ ધ મેચ'નો એવોર્ડ આપવામાં આવ્યો.
વેસ્ટઇન્ડિઝ પર 8 વિકેટથી જીત બાદ કોહલીએ મોટું નિવેદન આપ્યું છે. કોહલીએ એવું માન્યું કે આ ખેલનો આનંદ લેવા માટે હવે એની પાસે થોડાક જ વર્ષ બચ્યા છે.
કોહલીએ કહ્યું કે 'આ રમતનો આનંદ લેવા માટે મારા કરિયરના થોડાક જ વર્ષ બચ્યા છે. દેશ માટે રમવું ગર્વ અને એક મોટું સમ્માન છે. તમે કોઇ પણ ગેમને હળવાશથી લેવાનું જોખમ ઊઠવી શકો નહીં.'
વિરાટ કોહલીએ માન્યું કે રોહિત શર્માની પિચ પર હાજરી હોવાથી બેટિંગ વધારે સરળ થઇ જાય છે. એવું ખૂબ ઓછું થાય છે કે રોહિત ક્રિઝ પર હાજર બેટથી ધીમી બેટિંગ કરે . ટોપ ત્રણ બેટ્સમેન માંથી મને એન્કર રોલ નિભાવવો પસંદ છે પરંતુ આજે હું સારું મહેસૂસ કરી રહ્યો હતો અને મે રોહિતને કહ્યું કે એ એન્કર રોલ નિભાવે.