ગુવાહાટીમાં ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T20 સીરિઝની પહેલી મેચ ભીના ગ્રાઉન્ડના લીધે રદ્દ થઇ ગઇ. આ મેચમાં ટોસ સિવાય કંઇ જ ના થઇ શક્યુ, ટોસ પછી વરસાદ શરૂ થઇ ગયો પરંતુ તરત જ બંધ થઇ ગયો. પરંતુ ગ્રાઉન્ડ સ્ટાફ પાસે યોગ્ય બંદોબસ્ત ના હોવાને કારણે મેદાનને રમવા માટે તૈયાર ના કરી શક્યા.
જોકે આવી સ્થિતિમાં ગુવાહાટીમાં લોકો ધૈર્ય સાથે સ્ટેડિયમમાં મેચ શરૂ થવાની રાહ જેઇ રહ્યા હતા. ગ્રાઉન્ડ સુકાવવા માટે ચાલી રહેલા પ્રયાસો દરમિયાન ઓડિયન્સ ગીત ગાઇ રહ્યા હતા અને મોબાઇલ ટોર્ચની મદદથી ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા હતા. જોકે એવામાં જ ઓડિયન્સે એકસાથે વંદે માતરમ ગાયુ અને તેના અવાજથી આખું સ્ટેડિયમમાં ગુંજી ઉઠ્યુ. 30000 લોકો જ્યારે એકસાથે વંદે માતરમ્ ગાતા જોવા મળ્યા ત્યારે નજારો એકદમ અદ્ભુત લાગતો હતો. BCCI એ પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા પર આ વીડિયો શૅર કર્યો છે.
આ સિવાય શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટ્રી માટે આવેલા રસેલ આર્નોલ્ડે પણ વંદે માતરમ્ ગાતા ઓડિયન્સનો વીડિયો શૅર કર્યો છે, જેમાં કેપ્શન લખ્યુ કે, ''ભલે મેચ ના રમાઇ,.. પરતુ આ માહોલ ગજબનો હતો.''
ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમ ખાતેની પ્રથમ T-20 વરસાદના લીધે રદ થઇ છે. ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને બોલિંગ લીધી હતી. પરંતુ ત્યારબાદ વરસાદ પડતા મેચ શરૂ થઇ ન હતી. અમ્પાયરે 3 વાર નિરીક્ષણ કર્યું હતું, પરંતુ પિચ ભીની હોવાથી મેચ ન રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગ્રાઉન્ડ સ્ટાફે પિચ સૂકાવવા હેર ડ્રાયર અને ઈસ્ત્રીનો ઉપયોગ કર્યો હતો. જોકે તેમ છતાં મેચ શરૂ થઇ શકી ન હતી. બંને ટીમ વચ્ચે બીજી T-20 7 જાન્યુઆરીએ ઇન્દોરમાં રમાશે.