મીરપુરઃ ભારતની અન્ડર-19 ક્રિકેટ ટીમે એશિયા કપનો ખિતાબ જીત્યો છે. રવિવારે તેણે શ્રીલંકાને 144 રનોથી રગદોળ્યું છઠ્ઠીવાર એસીસી અન્ડર-19 એશિયા કપ પર કબ્જો કર્યો. અન્ડર-19 ભારતીય ટીમને આ પહેલા 2016 2014 2012 2003 અને 1989માં આ ખિતાબ જીત્યો હતો.
મીરપુરના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 304/3 રનોનો મસમોટો સ્કોર ઉભો કર્યો. લક્ષ્યનો પીછો કરતા ઉતરેલ શ્રીલંકાની ટીમ 38.4 ઓવરમાં 160 રનમાં ફિંડળુ વળી ગયું. ભારત તરફથી સ્પિનર હર્ષ ત્યાગીએ સૌથી વધુ 6 વિકેટ ઝડપી.
અન્ડર-19 ભારતીય ટીમ તરફથી પાંચમાંથી ચાર બોલરોએ અડધી સદી બનાવી. સલામ જોડી યશસ્વી જાયસવાલ(85) અનુજ રાવત(57) સિવાય વિકેટકીપર બોલર અને કેપ્ટન સિમરનસિંહ(અણનમ 65) અને આયુષ બદોની(અણનમ 52)એ અડધી સદી ફટકારી.
ભારતીય ટીમે એક સમયે 45 ઓવરમાં 225/3 રન બનાવ્યા હતા. પરંતુ છેલ્લી પાંચ ઓવરમાં સિમરનસિંહ અને આયુષ બદોની 79 રન બનાવીને ટીમને 300ને પાર લઇ જવામાં કામયાબ રહ્યું. સિમરને 37 બોલની ઇનિંગ્સમાં 4 છગ્ગા લગાવ્યા જ્યારે બદોનીએ 28 બોલની ઇનિંગ્સમાં એક પછી એક 5 છગ્ગા ઉડાવ્યા.