શ્રીલંકાની સામે સુપરસ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ખૂબ જ શાનદાર ઈનિંગ રમી છે. તેમણે નોટઆઉટ રહીને 175 રનની ઈનિંગ રમી છે. ભારતીય ટીમે પ્રથમ ઈનિંગ રમી 574 રન બનાવી જાહેર કરી દીધી. ત્યારબાદ ક્રિકેટ પ્રેમીઓ કેપ્ટન રોહિત શર્મા પર ભડક્યા હતા કે તેમણે જાડેજાને બેવડી સદી પૂર્ણ કરવા ના દીધી.
શ્રીલંકા સામે રવિન્દ્ર જાડેજાએ 175 રનની આક્રમક ઈનિંગ રમી
ક્રિકેટપ્રેમીઓએ રોહિત શર્મા પર બેવડી સદી પૂર્ણ કરવાનો લગાવ્યો આરોપ
જાડેજાએ જાતે ખુલાસો કર્યો, તેમણે કેમ બેવડી સદી પૂર્ણ ના કરી
રવિન્દ્ર જાડેજાએ જાતે કર્યો ખુલાસો
હવે રવિન્દ્ર જાડેજાએ આ વાતનો ખુલાસો કર્યો કે તેઓ પોતાની બેવડી સદી કેમ ના પૂર્ણ કરી શક્યા. રવિન્દ્ર જાડેજા સરળતાપૂર્વક શનિવારે શ્રીલંકા સામે બેવડી સદી ફટકારી શકતા હતા. પરંતુ આ ભારતીય ઓલરાઉન્ડરે ઈનિંગ જાહેર કરવાનો સંદેશ મોકલ્યો. કારણકે તેઓ ઈચ્છતા હતા કે તેમની ટીમ પણ આ વેરિએબલ બાઉન્સ અને ટર્નનો ફાયદો ઉઠાવી શકે. જાડેજાએ તેની ટેસ્ટ કારકિર્દીની બીજી સદી પૂર્ણ કરી અને કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો. જેનાથી ભારતીય ટીમે આઠ વિકેટે 574 રનની ઈનિંગ જાહેર કરી. તેમણે પોતાની ઈનિંગમાં 17 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકારી શ્રીલંકન આક્રમણને મજાક બનાવી નાખ્યું.
જાડેજાની પાસે બેવડી સદી ફટકારવાની તક
રવિન્દ્ર જાડેજાની પાસે બેવડી સદી ફટકારવાની તક હતી. પરંતુ આ ખેલાડીએ કહ્યું કે તેઓ જાણતા હતા કે આ ઈનિંગ જાહેર કરવાનો આદર્શ સમય હતો. કારણકે તેનાથી તેમને પ્રતિસ્પર્ધી ટીમને મુશ્કેલીવાળી પરિસ્થિતિઓમાં એક સત્ર રમવાની તક મળતી. જાડેજાએ બીજા દિવસે રમત સમાપ્ત થયા બાદ કહ્યું, મેં તેમને જણાવ્યું કે પિચ પર વેરિએબલ બાઉન્સ છે અને બોલ પણ ટર્ન થતો હતો. તેથી મેં એક સંદેશ મોકલ્યો કે પિચ પરથી અમુક મદદ પ્રાપ્ત કરી શકાય.