ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શ્રીલંકા સામે રમાનારી સિરિઝના કાર્યકર્મમાં ફેરફાર કર્યો છે.
BCCI શ્રીલંકા સામેની સિરિઝના કાર્યક્રમમાં કર્યો ફેરફાર
ટી-20 સીરીઝની પહેલી મેચ લખનઉમાં રમાશે
વિરાટ કોહલી મોહાલીમાં રમશે તેની 100મી ટેસ્ટ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શ્રીલંકા સામે ઘરઆંગણે રમાનારી શ્રેણીના કાર્યક્રમમાં ફેરફારની જાહેરાત કરી દીધી છે. શ્રીલંકાની ટીમ પ્રથમ ટી-20 શ્રેણી રમશે, જેમાં ત્રણ મેચ રમાશે. ખાસ વાત એ છે કે આ વખતે આંતરરાષ્ટ્રીય મેચ પણ ઉત્તર પ્રદેશના લખનઉમાં રમાશે, ટી-20 સીરીઝની પહેલી મેચ લખનઉમાં રમાવાની છે.ટી-20 શ્રેણી બાદ બે મેચની ટેસ્ટ શ્રેણી રમાશે, જે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23નો ભાગ બનશે.
લખનઉમાં હવે પ્રથમ ટી20 મેચનું આયોજન
બીસીસીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ લખનઉમાં હવે પ્રથમ ટી20 મેચનું આયોજન કરવામાં આવશે, જ્યારે આગામી બે મેચ ધર્મશાલામાં રમાશે. હવે પ્રથમ ટેસ્ટ 4 થી 8 માર્ચ દરમિયાન મોહાલીમાં રમાશે, જ્યારે બીજી ટેસ્ટ 12 થી 16 માર્ચ દરમિયાન બેંગાલુરુમાં રમાશે.
🚨 NEWS 🚨: BCCI announces a change in schedule for the upcoming @Paytm Sri Lanka Tour of India. #INDvSL#TeamIndia
સુધારેલા કાર્યક્રમ આ મુજબ છે
24 ફેબ્રુઆરી-પ્રથમ ટી-20, લખનઉ
26 ફેબ્રુઆરી- બીજી ટી-20, ધર્મશાળા
27 ફેબ્રુઆરી- ત્રીજી ટી-20, ધર્મશાલા
4-8 માર્ચ-પ્રથમ ટેસ્ટ, મોહાલી
12-16 માર્ચ- બીજી ટેસ્ટ (ડે-નાઇટ), બેંગલુરુ
મોહાલીમાં 100મી ટેસ્ટ રમશે વિરાટ
હવે વિરાટ કોહલી પોતાની 100મી ટેસ્ટ મેચ મોહાલીમાં રમી શકે છે. જૂના કાર્યક્રમ અનુસાર વિરાટ કોહલી જો પોતાની 100મી ટેસ્ટ મેચ બેંગલુરૂમાં રમવાનો હતો. ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય ટીમને નવા ટેસ્ટ કેપ્ટનની પણ તલાશ છે. નોંધનીય છે કે ગત મહિને દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીમાં મળેલી હાર બાદ વિરાટ કોહલીએ કેપ્ટનશિપમાંથી રાજીનામું આપી દીધું હતું. રોહિત શર્મા, રિષભ પંત કેએલ રાહુલ જેવા ખેલાડીઓ ટેસ્ટ કેપ્ટનશીપના યુગમાં સૌથી આગળ હોવાનું કહેવાય છે.