ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી ત્રણ ટેસ્ટ મેચની સિરિઝની પહેલી ટેસ્ટ મેચ રમવામાં આવશે. જેમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આ મુકાબલો ગોલ ઈટરનેશનલ સ્ટેડિયમમાં આજે સવારે 10 વાગ્યે શરૂ થશે. આ એજ મેદાન છે જ્યાં ગયા પ્રવાસમાં ટીમ ઈન્ડીયાએ હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલી એન્ડ કંપની 2015માં ગોલમાં મળેલી હારનો બદલો લેવા ટીમ ઈન્ડીયા આતુર હશે. આ વખતે ટીમ ઈન્ડીયાનો ઈરાદો ગોલ ટેસ્ટ જીતી સીરીજમાં 1-0થી આગળ રહેવાનો હશે.
કોહલીનું બેટ હંમેશા રન મશીનની જેમ બનાવે છે. જ્યારે ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટ ચેતેશ્વર પૂજારા ગઈ સિઝનમાં ચુપચાપ પોતાનું કામ કરી રનોનો પહાડ ઉભો કરતો રહ્યો છે અને ટેસ્ટ બેટિંગમાં ક્યારે પોતાના કપ્તાનને પાછળ પાડી દીધો તે કોઈને ખબર પણ ન પડી. ઉપ કપ્તાન આજિક્ય રહાણેને ચેમ્પિયન ટ્રોફીમાં મોકો મળ્યો ન હતો પરંતુ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં તેણે વનડે સિરીઝમાં ખૂબ રન બનાવ્યા. ટેસ્ટમાં તે હંમેશા ટીમ માટે ઉપયોગી સાબિત થયો છે. રોહિત શર્માની પણ ટીમમાં પસંદગી કરવામાં આવી છે અને પુરી સંભાવના છે કે તે પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવવા માટે સફળ રહેશે.