ભારતે શ્રીલંકાને પુણેમાં રમાયેલ છેલ્લી અને નિર્ણાયક ટી-20 મેચમાં 78 રનોથી હાર આપીને ત્રણ મેચોની ટી-20 સીરીઝ પર 2-0થી કબજો કરી લીધો છે. ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડીયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા અને શ્રીલંકા સામે જીત માટે 202 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેના જવાબમાં શ્રીલંકા 15.5 ઓવરમાં 123 રનો પર ઓલઆઉટ થઇ ગઇ.
પુણેમાં ભારતે શ્રીલંકાને 78 રનોથી હરાવ્યું
ભારતે 2-0થી જીતી ત્રણ મેચોની ટી-20 સીરીઝ
વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઇન્ડીયાએ વર્ષની પ્રથમ સીરીઝ 2-0થી જીતી લીધી. સીરીઝની બીજી ટી-20 ભારતે ઇન્દોરમાં 7 વિકેટથી જીતી હતી. જ્યારે પ્રથમ ટી-20 ગુવાહાટીમાં વરસાદના કારણે રદ્દ થઇ હતી.