શ્રીલંકા સામે કોલકત્તા વન-ડે મેચ માટે ભારતીય ટીમની પ્લેઈંગ-11માં એક ફેરફાર કરવામાં આવ્યો છે. કેપ્ટન રોહિત શર્માએ લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને બહાર કરી તેમની જગ્યાએ કુલદીપ યાદવને તક આપવામાં આવી છે. પરંતુ હજી પણ ઈશાન અને સૂર્યાને તક મળી નથી.
ભારતીય ટીમની પ્લેઈંગ-11માં એક ફેરફાર કરવામાં આવ્યો
કેપ્ટન રોહિત શર્માએ લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને બહાર કર્યો
તેમની જગ્યાએ કુલદીપ યાદવને તક આપવામાં આવી
લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને બહાર કરવામાં આવ્યો
ભારતીય ટીમ અને શ્રીલંકાની વચ્ચે ત્રણ મેચોની વન-ડે શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. કોલકત્તાના ઈડન ગાર્ડન્સમાં રમાતી આ મેચ માટે ભારતીય ટીમની પ્લેઈંગ-11માં એક મોટો ફેરફાર થયો છે. લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને બહાર કરવામાં આવ્યો છે.
કુલદીપ યાદવને પ્લેઈંગ-11માં તક આપવામાં આવી
ઉલ્લેખનીય છે કે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા સામે કોલકત્તા વન-ડે મેચ માટે પ્લેઈંગ-11માં એક ફેરફાર કર્યો છે. યુઝવેન્દ્ર ચહલને બહાર કરી ચાઈનામેન બોલર કુલદીપ યાદવને પ્લેઈંગ-11માં તક આપવામાં આવી છે. પરંતુ મોટી વાત એ છે કે ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવને બીજી મેચમાં પણ પ્લેઈંગ-11માં તક મળી નથી.
Sri Lanka have won the toss and elect to bat first in the 2nd ODI at Kolkata.
ખરેખર, યુઝવેન્દ્ર ચહલ ઈજાગ્રસ્ત છે. આ જ કારણ છે કે તેમને આરામ આપવામાં આવ્યો છે. આ વાત કેપ્ટન રોહિત શર્માએ જાતે જણાવી છે. ટૉસ દરમ્યાન રોહિત શર્માએ કહ્યું કે શ્રેણીની પહેલી વન-ડે મેચમાં ફીલ્ડિંગ દરમ્યાન ચહલને ઈજા થઇ હતી. તેમણે ડાય મારી તે દરમ્યાન તેમને પોતાના જમણા ખભામાં ઈજા થઇ હતી. આ મેચ માટે ચહલ ફિટ નહોતા થઇ શક્યા. જેના કારણે તેમને બહાર કરવામાં આવ્યાં.