ભારત અને શ્રીલંકા વચ્ચે રવિવારે ત્રણ મેચોની ટી-20 સીરીઝનો પ્રથમ મુકાબલો રદ્દ થઇ ગયો છે. આ મુકાબલા ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં નક્કી સમયાનુસાર સાંજે સાત વાગ્યે શરૂ થઇ હતી, પરંતુ ભારે વરસાદના કારણે વર્ષના પ્રથમ મુકાબલા પર પાણી ફરી વળ્યું.
ભારતે મેચમાં ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો
વરસાદના કારણે મેદાન ઘણું પલળી ગયું
મેદાનને ભીનું હોવાના કારણે મેચ રદ્દ કરવાનો નિર્ણય કર્યો
6:30 વાગ્યે ટૉસ થયો. ભારતે આ મુકાબલામાં ટૉસ જીતીને શ્રીલંકાને પ્રથમ બેટિંગ આપી. પરંતુ કેટલીક મિનિટો બાદ ઝરમર વરસાદ શરૂ થઇ ગયો, જ્યારબાદ મેચોમાં મોડું થઇ શકે છે, એવું જણાવાયું છે. પરંતુ સતત વરસાદના કારણે મેદાનનું પ્રથમ નિરીક્ષણ 8:15, બીજું 9:00 અને ત્રીજું નિરીક્ષણ 9:30 વાગ્યે કરવામાં આવ્યું.
જોકે, 9:46 કટ ઑફ ટાઇમ રાખવામાં આવ્યો હતો. આ સમયે જો મેચ શરૂ થાય તો બન્ને ટિમો વચ્ચેનો ખેલ પાંચ-પાંચ ઓવરની થઇ શકતી હતી, પરંતુ એવું ન થઇ શક્યું. વરસાદના કારણે મેદાન ઘણુ પલળી ગયું હતું. વરસાદ અટકી-અટકીને થતી રહી. બાદમાં અમ્પાયરો અને મેચ અધિકારીઓએ મેદાનને ભીનું હોવાના કારણે મેચ રદ્દ કરવાનો નિર્ણય કર્યો.
આ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આ મેચમાં ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. જણાવી દઇએ કે હવે બન્ને ટિમ વચ્ચે સીરીઝનો બીજો મુકાબલો સાત જાન્યુઆરીએ ઇન્દોરમાં રમાશે.