ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 સિરીઝ રમાશે. આ માટે ઉમેશ યાદવ, શ્રેયસ અય્યર અને શાહબાઝ અહમદ ભારતીય ટીમમાં જોડાયા છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 સિરીઝ
ત્રણ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો
ઉમેશ યાદવ, શ્રેયસ અય્યર અને શાહબાઝ અહમદને લેવાયા ટીમમાં
બુધવારથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 સિરીઝ રમાશે. આ માટે ઉમેશ યાદવ, શ્રેયસ અય્યર અને શાહબાઝ અહમદ ભારતીય ટીમમાં જોડાયા છે. ઓલરાઉન્ડર દીપક હૂડા ઈજાના કારણે આ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમાર આ સીરીઝમાં રમવાના નથી.
ત્રણ ખેલાડીઓને મળશે તક
ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામેની શ્રેણી માટે ફાસ્ટ બોલર ઉમેશ યાદવ અને શાહબાઝ અહમદ તેમજ શ્રેયસ અય્યરને તક આપી છે. ટીમનો ઓલરાઉન્ડર દીપક હુડ્ડા ઈજાના કારણે બહાર છે. તેઓ એનસીએમાં છે. આ સાથે જ અર્શદીપ સિંહ પણ આ સીરિઝ માટે ટીમ ઇન્ડિયા સાથે જોડાયો છે. તેઓ તિરુવનંતપુરમ પહોંચી ગયા છે. મોહમ્મદ શમી કોરોના વાયરસના કારણે બહાર થઇ ગયો છે. શમીની જગ્યાએ ઉમેશને તક આપવામાં આવી છે. જ્યારે શ્રેયસ હુડ્ડાની જગ્યાએ ટીમ ઇન્ડિયામાં આવ્યો છે.
સાઉથ આફ્રિકા સામેનો મેચનો કાર્યક્રમ
સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટી-20 મેચ તિરુવનંતપુરમ (28 સપ્ટેમ્બર)માં રમાશે. ગાંધી જયંતિના અવસર પર ગુવાહાટીમાં બીજી (2 ઓક્ટોબર) અને ઈન્દોર (4 ઓક્ટોબર)માં ત્રીજી અને અંતિમ ટી-20 મેચ (4 ઓક્ટોબર) યોજાશે. આ પછી ભારત સાઉથ આફ્રિકા સામે લખનઉ (6 ઓક્ટોબર), રાંચી (9 ઓક્ટોબર) અને દિલ્હી (11 ઓક્ટોબર)માં ત્રણ વન ડે રમશે. વન ડે શ્રેણી માટેની ટીમની જાહેરાત કરવામાં આવી નથી.
ભારત vs દક્ષિણ આફ્રિકા:
પ્રથમ ટી-20- 28 સપ્ટેમ્બર (તિરુવનંતપુરમ)
બીજી ટી-20- બીજી ઓક્ટોબર (ગુવાહાટી)
ત્રીજી ટી-20- 4 ઓક્ટોબર (ઇન્દોર)
પ્રથમ વન-ડે- 6 ઓક્ટોબર (લખનઉ)
બીજી વન-ડે- 9મી (રાંચી)
ત્રીજી વન-ડે-11 ઓક્ટોબર (દિલ્હી)