ઈન્ડિયન ક્રિકેટ ટીમનો દક્ષિણ આફ્રીકાનો પ્રવાસ સતત ચર્ચામાં રહેવા પામ્યો છે.રોહિત શર્માને ટેસ્ટ શ્રેણીમાંથી પડતો મૂકવામાં આવ્યા બાદ વિરાટ કોહલી પણ વન-ડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો
ટીમ ઈન્ડિયાનો સાઉથ આફ્રિકાનો પ્રવાસ સતત ચર્ચામાં વિષય બની રહ્યો છે.
પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્મા ઈજાના કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. પરંતુ હવે વિરાટ કહોલી વન-ડે શ્રેણીમાંથી બહાર નીકળી ગયો છે. બીસીસીઆઈએ વિરાટ કોહલીને વન-ડેની કેપ્ટન્સીમાંથી દૂર કર્યા બાદ આ વાત સામે આવી છે. એક અહેવાલ અનુસાર વિરાટ કોહલી પણ વન-ડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. વિરાટ કહોલીએ બોર્ડને જાણ કરી હતી કે, 11મી જાન્યુઆરી તેની પુત્રી વામિકાનો પહેલો જન્મ દિવસ છે. તે તેના પરિવાર સાથે ઉજવવા માંગે છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 11મી જાન્યુઆરીથી રમાશે અને વિરાટ કહોલીની આ 100મી ટેસ્ટ હશે, તેથી વિરાટ આ ટેસ્ટ બાદ વન-ડે શ્રેણી દરમિયાન પોતાના પરિવાર સાથે સમય વિતાવી શકે છે.
ગાગુંલીએ કહ્યું હતું કે,વિરાટને ટી-20 કેપ્ટન્સી છોડવાની મનાઈ હતી પરંતુ તેણે ઈનકાર કર્યો
વિરાટ કોહલીને કેપ્ટનસીમાંથી દૂર કરવામાં આવ્યા બાદ અને રોહિત શર્માને આદેશ આપવામાં આવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ માટે આવા અહેવાલો સારા નથી. બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ વિરાટ પાસેથી કેપ્ટનસી પાછી ખેંચવાનું કારણ ટાક્યું હતું. ગાગુંલીએ કહ્યું હતું કે, વિરાટને ટી - 20 કેપ્ટન્સી છોડવાની મનાઈ હતી. પરંતુ તેણે ઈનકાર કર્યો હતો. જે બાદ પસંદગીકારો એને બોર્ડે સાથે મળીને નિર્ણય લીઘો હતો કે, મર્યાદિત ઓવરના ક્રિકેટમાં અલગ કેપ્ટનને સ્થાન આપી શકાય તેમ નથી, તેથી રોહિતને ટી-20 અને વન-ડેની કેપ્ટનસી આપવામાં આવી હતી.
રોહિત શર્મા ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
ઉલ્લેખનયી છે કે, વિરાટ કોહલી પહેલા ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્મા હેમસ્ટ્રિંગ ખેંચના કારણે 3 અઠવાડિયાથી મેદાનની બહાર છે. રોહિત શર્મા સ્થાને ગુજરાતના બેટ્સમેન પ્રિયાંક પંચાલને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ટેસ્ટ શ્રેણી પછી વન ડે શ્રેણી આવે છે
ટીમ ઈન્ડિયા 26મી ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી સાઉથ આફ્રિકામાં ત્રણ ટેસ્ટ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. ટેસ્ટ શ્રેણી બાદ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વન-ડે શ્રેણી 19મી જાન્યુઆરીથી શરૂ થશે, જેમાં પ્રથમ વન-ડે 19મી જાન્યુઆરીએ પારલના બોલાન્ડ પાર્કમાં રમાશે. બીજી વન ડે 21મી જાન્યુઆરીએ પાર્લમાં અને ત્રીજી વન ડે કેપટાઉનમાં 23મી જાન્યુઆરીએ રમાશે. ભારતે વિરાટ કોહલીની આગેવાની હેઠળ 2018માં 5-1 થી 6 વન ડેની શ્રેણી જીતી હતી.