કોરોના વાયરસનો ખતરો ભારત સહિત દુનિયાના ઘણા ભાગમાં વધતો થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશન (WHO) એ કોરોના વાયરસને માહામારી જાહેરાત કરી દીધી છે. આ વાયરસના ખતરાની વચ્ચે ગુરુવારથી ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની વચ્ચે વનડે મેચ રમાશે.
આજથી ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે વનડે સીરિઝ
કોરોના વાયરસને લઇને ખેલાડીઓને કર્યા એલર્ટ
BCCI એ જારી કર્યા નિર્દેશ
BCCI ની તરફથી બુધવારે સાંજે કેટલીક સાવધાનીઓ જાહેર કરવામાં આવી છે, જેનું મેચ દરમિયાન ખેલાડીઓ ધ્યાન રાખવુ પડશે. BCCI ના નિવેદન અનુસાર, બોર્ડની મેડિકલ ટીમ કોરોના વાયરસને પહોંચી વળવા માટે મોનિટરિંગ કરી રહી છે. તમામ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને અન્ય અધિકારીઓને કોરોના વાયરસને અંગે જાણકારી આપવામાં આવી છે.
NEWS: Precautions against Coronavirus (COVID-19) during South Africa’s tour of India, 2020
- જો તાવ, ખાંસી અથવા તો કોઇ બીજી બિમારી છે તો તરત જ મેડકિલ ટીમને સંપર્ક કરો.
- મોં, ચહેરો, નાક, આંખને વગર હાથ ધોયે ના અડો.
- ટીમ બહારી લોકોના સંપર્કથી બચે, આ દરમિયાન હાથ ના મીલાવે અને ઓળખ વગરના લોકો સાથે સેલ્ફી ના લે.
ખેલાડીઓની સાથે સાથે એરલાયન્સ, ટીમ હોટલ, રાજ્ય ક્રિકેટ એસોસિયેશન, મેડિકલ ટીમને સાફ-સફાઇ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ટીમમાં આવતા પહેલા ડ્રેસિંગ રૂમ, હોટલ સહિત અન્ય સ્થાનો પર આ વાતોનું ધ્યાન રાખવામાં આવે અને સતત સાફ-સફાઇ કરવામાં આવે.