ભારત તથા શ્રીલંકા વચ્ચે ત્રણ ટી20 મેચની સીરીઝનો પહેલો મુકાબલો ગુરુવારે આજે લખનૌમાં રમાશે. ટી20 માં ભારતીય ટીમની પ્લેઇંગ ઈલેવન પર બધાની નજરો છે. જાણો વિગતવાર
ટી20 વર્લ્ડ કપ મેચમાં રમ્યા હતા જાડેજા
જસપ્રીત બુમરાહની વાપસી
ભારતની સંભવિત પ્લેઇંગ ઈલેવન
ભારત તથા શ્રીલંકા વચ્ચે ત્રણ ટી20 મેચની સીરીઝનો પહેલો મુકાબલો ગુરુવારે આજે લખનૌમાં રમાશે. ત્યાર બાદ બે મેચ 26 તથા 27 ફેબ્રુઆરીના રોજ ધર્મશાળામાં રમાશે. પહેલા ટી20 માં ભારતીય ટીમની પ્લેઇંગ ઈલેવન પર બધાની નજરો છે. સૌથી મોટો સવાલ એ છે કે સૂર્યકુમાર યાદવ, દીપક ચાહર, વિરાટ કોહલી તથા રિષભ પંતની અનુપસ્થિતિમાં કોને મોકો મળશે?
ન્યૂઝીલેંડ તથા વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ સતત બે ટી20 સીરીઝ જીત્યા બાદ ભારતીય ટીમનું મનોબળ સાતમાં આકાશ પર છે. જ્યારે, શ્રીલંકાને ઓસ્ટ્રેલીયા વિરુદ્ધ પાછલી સીરીઝમાં હાર મળી હતી. ભારતીય ટીમની વાત કરીએ તો દળમાં રવીન્દ્ર જાડેજાની વાપસી થઇ છે. તેઓ ત્રણ મહિના બાદ ટીમમાં પરત આવ્યા છે. જ્યારે, સીરીઝ પહેલા જ દીપક ચાહર તથા સૂર્યકુમાર યાદવને ઘા વાગ્યો હતો.
સૂર્યકુમાર યાદવના બહાર થવા પર સંજૂ સેમસન કે દીપક હુડ્ડાને પ્લેઇંગ ઈલેવનમાં જગ્યા મળી શકે છે. બંનેમાંથી સંજૂનો પલડો ભારે છે કેમકે રોહિત શર્માએ મેચના એક દિવસ પહેલા તેમના ખૂબ જ વખાણ કર્યા હતા. તેમને ટી20 વર્લ્ડ કપની યોજનાનો મુખ્ય હિસ્સો બતાવવામાં આવ્યા છે. આવામાં આ આશા છે કે રોહિત મુકાબલામાં સંજૂને મધ્યમક્રમના બેટ્સમેન તરીકે ઉતારી શકે છે.
ટી20 વર્લ્ડ કપ મેચમાં રમ્યા હતા જાડેજા
જાડેજા ગયા વખતે ભારતીય ટીમ માટે ટી20માં નામીબિયા વિરુદ્ધ રમ્યા હતા. ટી20 વર્લ્ડ કપની એ મેચમાં ટીમ ઇન્ડિયાને જીત મળી હતી. જોકે, પાકિસ્તાન તથા ન્યૂઝીલેંડ તરફથી મળેલ હારને કારણે ભારતીય ટીમ આગળના પડાવ પર ન પહોંચી શકી. હવ જોવાનું એ છે કે રોહિત શર્મા શ્રીલંકા વિરુદ્ધ રવીન્દ્ર જાડેજાને કોની જગ્યાએ શામેલ કરે છે.
વેંકટેશ અય્યર, હર્ષલ પટેલ તથા રવિ બિશ્નોઈ માંથી કોણ થશે બહાર?
યુવા ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર સારું પ્રદર્શન કરી રહ્યા છે તથા ભારતીય થિંક ટેંક તેમની પ્રગતિમાં બાધા લાવશે નહિ. સૂર્યકુમારના બહાર થવાને કારણે વેંકટેશની જગ્યા સુરક્ષિત માનવામાં આવે છે. હર્ષલ પટેલની વાત કરીએ તો તેમણે પણ પ્રભાવિત પ્રદર્શન આપ્યું છે. આવામાં રોહિત તેમને ફરી મોકો આપવા માંગશે. અંતમાં રવિ બિશ્નોઈ વધે છે. શાનદાર પ્રદર્શન છતાં માનવામાં આવી રહ્યું છે કે જાડેજા માટે તેમણે બલિદાન આપવું પડશે.
જસપ્રીત બુમરાહની વાપસી
ભારતીય ટી20 ટીમના ઉપકપ્તાન જસપ્રીત બુમરાહની વાપસી થઇ રહી છે. તેઓ વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ સીરીઝમાં રમ્યા ન હતા. તેમને મોહમ્મદ સિરાજની જગ્યાએ લાવવામાં આવી શકે છે. બુમરાહ સાથે, ભુવનેશ્વર કુમાર તથા હર્ષલ પટેલ ઝડપી બોલિંગ આક્રમણ સંભાળશે. બેટિંગની વાત કરીએ તો રોહિત શર્મા આ મેચમાં વૃતુરાજ ગાયકવાડ સાથે ઓપનિંગ કરી શકે છે. આવામાં ઇશાન કિશન ત્રીજા નંબર પર રમશે.