IPL 2022 બાદ ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામેની 5 મેચની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમવાની છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 9 થી 19 જૂન સુધી ટી-20 શ્રેણી રમવામાં આવશે. એવા અહેવાલો છે કે વીવીએસ લક્ષ્મણને સાઉથ આફ્રિકા સામેની ડોમેસ્ટિક ટી-20 શ્રેણી અને આયરલેન્ડ સામે ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમનો કોચ બનાવવામાં આવી શકે છે.
IPL 2022 બાદ દક્ષિણ આફ્રિકા સામે ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમાશે
હવે રાહુલ દ્રવિડની સાથે આ પૂર્વ ખેલાડી પણ બની શકે ભારતીય ટીમના કોચ
રાહુલ દ્રવિડ 15 અથવા 16 જૂને બ્રિટન પ્રવાસ માટે રવાના થશે
રાહુલ દ્રવિડને મળશે આ જવાબદારી
ભારતીય ટીમને 26 જૂનથી 28 જૂન સુધી આયરલેન્ડની સામે બે મેચની ટી-20 શ્રેણી રમવાની છે. ભારતીય ટીમના નિયમિત કોચ રાહુલ દ્રવિડ 15 અથવા 16 જૂને સીનિયર ખેલાડીઓવાળી ભારતીય ટીમની સાથે ઈંગ્લેન્ડના પ્રવાસ માટે રવાના થઇ શકે છે. ભારતીય ટીમ 1 ટેસ્ટ, 3 વન-ડે અને 3 ટી-20 મેચ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે.
વીવીએસ લક્ષ્મણ પણ બનશે ભારતીય ટીમના કોચ !
ઈનસાઈડ સ્પોર્ટના રિપોર્ટ મુજબ બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું, રાહુલ દ્રવિડ 15 અથવા 16 જૂને ભારતીય ટીમની સાથે બ્રિટન પ્રવાસ માટે રવાના થશે. આ સિવાય બોર્ડ વીવીએસ લક્ષ્મણને સાઉથ આફ્રિકા સામે ડોમેસ્ટિક ટી-20 શ્રેણી અને આયરલેન્ડ સામે ટી-20 શ્રેણી માટે કોચ તરીકે જોડાવાનુ કહેવામાં આવશે. રિપોર્ટસ મુજબ સાઉથ આફ્રિકા સામે ડોમેસ્ટિક ટી-20 શ્રેણીમાં સીનિયર ખેલાડીઓને આરામ મળી શકે છે અને શિખર ધવનને યુવા ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ મળી શકે છે.
વધુમાં વધુ યુવા ખેલાડીઓને તક મળી શકે
સાઉથ આફ્રિકા સામે ડોમેસ્ટિક ટી-20 શ્રેણીમાં પસંદગીકારો વધુમાં વધુ યુવા ખેલાડીઓને તક આપી શકે છે. કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ, રોહિત શર્મા, વિરાટ કોહલી અને રિષભ પંત જેવા ખેલાડી ભારતીય ટીમના નિયમિત કોચ રાહુલ દ્રવિડની સાથે સીનિયર ટીમનો ભાગ હશે.