ટી-20 વર્લ્ડ કપના સુપર 12 રાઉન્ડ મુકાબલામાં પાકિસ્તાને ભારતીય ટીમને રવિવારે 10 વિકેટથી હરાવી ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી છે. અત્યાર સુધી દરેક વખતે ક્રિકેટ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ટીમ હારતી હતી. પરંતુ દુબઈમાં રમાયેલી મેચમાં બાબર આઝમના નેતૃત્વવાળી પાકિસ્તાની ટીમે વિરાટ સેનાને હરાવી દીધી.
ટી-20 વર્લ્ડ કપમાં દુબઈમાં પાકિસ્તાન સામે ભારતની ઐતિહાસિક હાર
વર્લ્ડ કપમાં પાકિસ્તાન પ્રથમ વખત જીતતા ગૃહમંત્રીએ કર્યો બફાટ
પાકિસ્તાન ટીમ જીતતા ગૃહ મંત્રી ઉત્સાહિત બન્યાં
આ દરમ્યાન વિશ્વ કપમાં પહેલી વખત જીત મળતા પાકિસ્તાની ગૃહ મંત્રી શેખ રસીદમાં ઉત્સાહ છવાઈ ગયો. પાકિસ્તાન ટીમ જીત્યા બાદ તેમણે ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો જાહેર કર્યો. જેમાં ત્યાં સુધી કહી દીધુ કે ભારતના મુસ્લિમ સમુદાયની લાગણી પણ પાકિસ્તાન ટીમની સાથે હતી.
ટીમ ઈન્ડિયા સામે પ્રથમ વખત વિશ્વ કપમાં જીત મળ્યા બાદ પાકિસ્તાન ઉત્સાહમાં આવી ગયુ છે. પાકિસ્તાનના ગૃહ પ્રધાન રશિદે એક મિનિટ 11 સેકન્ડનો વીડિયો અપલોડ કરી પાકિસ્તાન ટીમને અભિનંદન આપ્યાં છે. તેમણે કહ્યું, ટી-20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાનની ક્રિકેટ ટીમને જીતવા બદલ હું હાર્દિક અભિનંદન આપુ છુ. જે રીતે પાકિસ્તાનની ટીમે ભારતીય ટીમને કારમી હાર આપી છે, તેને જોતા પાકિસ્તાને પોતાની વાત મનાવી છે. મને અફસોસ છે કે આ પ્રથમ ભારત-પાકિસ્તાન મેચ છે. જેમાં સમુદાયની જવાબદારીના કારણે ગ્રાઉન્ડમાં રમી શકાયુ નથી. પાકિસ્તાન ટીમ અને પાકિસ્તાની સમુદાયને હાર્દિક અભિનંદન.. હિન્દુસ્તાન સહિત આખા વિશ્વના મુસ્લિમ સમુદાયની લાગણી પાકિસ્તાન ટીમની પાસે હતી.