આઇસીસી વર્લ્ડકપમાં આજે માન્ચેસ્ટરમાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે. ભારત પાકિસ્તાનની મેચને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ભારતની જીત માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે.
ત્યારે ભારત અને પાકિસ્તાનના વચ્ચેના રેકોર્ડની વાત કરવામાં આવે તો અત્યાર સુધી પાકિસ્તાન ભારતને વર્લ્ડકપમાં ક્યારેય હરાવી શક્યુ નથી. ત્યારે આજે પણ વિરાટ બ્રિગેડ આ રેકોર્ડને યથાવત્ રાખવા માટે મેદાને ઉતરશે.
જોકે, આજની મેચમાં વરસાદ વિઘ્ન ન બને તે પણ જરૂરી છે. કારણ કે, અગાઉ ન્યઝીલેન્ડ સામેની મેચમાં વરસાદ પડતા મેચ રદ થઈ હતી અને બન્ને ટીમોને એક એક પોઇન્ટ મળ્યો હતો. એવામાં આજની મેચ અગાઉ જ માન્ચેસ્ટરમાં વાતાવરણ કેવુ હશે તેને લઈને પણ ભારત અને પાકિસ્તાનના લોકો ઇન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા છે.
સમગ્ર દેશમાં આ હાઇ પ્રોફાઇલ મેચને લઈને ઉત્સાહ જાગ્યો છે ત્યા આ અંગે ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું કે, જો અમે સારું રમીશું તો કોઈ પણ ટીમને હરાવી શકીએ છીએ. અમારી સામે કઈ ટીમ છે તેનાથી કોઈ ફર્ક પડતો નથી.
વધુમાં તેમણે કહ્યું કે, ખેલાડીઓ માટે એ જરૂરૂ છે કે તેમણે પ્રોફેશનલ રહેવું જોઈએ. અમારા માટે કોઈ એક મેચ વધારે ખાસ હોતી નથી. ટીમની જવાબદારી છે કે દરેક મેચમાં જવાબદારી પૂર્વક જીતવા માટેનો પ્રયાસ કરે.
England: Indian cricket team at a practice session in Manchester. India & Pakistan will play each other tomorrow, at the Old Trafford cricket ground in Manchester. #WorldCup2019pic.twitter.com/WI4bAlejH1