ભારત અને પાકિસ્તાન એક વખત ફરીથી એકબીજા સાથે ટકરાવાના છે. અહેવાલ મુજબ આ ટક્કર આગામી મહિને થવાની છે. આ મેચ એશિયા કપમાં રમાશે. જેની શરૂઆત 27 ઓગષ્ટથી શ્રીલંકામાં થશે. એશિયા કપની આ બે ટૉપ ટીમો 28 ઓગષ્ટે એકબીજા સાથે ટકરાશે.
એશિયા કપ ટી-20 ફોર્મેટમાં રમાશે
ભારત-પાકિસ્તાન 28 ઓગષ્ટે એકબીજા સામે ટકરાશે
ટી-20 વર્લ્ડ કપ 2022માં પણ આ બંને ટીમોની થશે ટક્કર
હવે ભારત-પાકિસ્તાન ફરી એક વખત એકબીજા સામે ટકરાશે
મહત્વનું છે કે એશિયા કપ ટી-20 ફોર્મેટમાં રમાશે. ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓની દ્રષ્ટિએ આ ટુર્નામેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તો ભારત-પાકિસ્તાનની ટીમો ટી-20 વર્લ્ડ કપ 2021 બાદ પહેલી વખત એકબીજા સામે ટકરાશે. જેમાં ભારતીય ટીમને 10 વિકેટથી કરારી હાર મળી હતી. એશિયા કપ બાદ ભારતીય ટીમ અને પાકિસ્તાનની ટક્કર ટી-20 વર્લ્ડ કપ 2022માં પણ થશે. આ મેચ 23 ઓક્ટોબરે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. એટલેકે ક્રિકેટ પ્રેમીઓને બે મહિનામાં બે વખત ભારત- પાકિસ્તાનની ટક્કર જોવા મળશે.
એશિયા કપમાં ભારતીય ટીમે 6 વખત ટુર્નામેન્ટ જીતી
એશિયા કપની વાત કરીએ તો આ ટુર્નામેન્ટમાં ભારતનો રેકોર્ડ શાનદાર છે. ભારતીય ટીમે 6 વખત આ ટુર્નામેન્ટને જીતી છે. છેલ્લી વખત 2018માં ભારતે બાંગ્લાદેશને ફાઈનલમાં હરાવીને એશિયાને ચેમ્પિયન બનવાનુ ગૌરવ પ્રાપ્ત કર્યુ હતુ. ભારત બાદ શ્રીલંકાએ પણ આ ટુર્નામેન્ટને પાંચ વખત જીતી છે. તો પાકિસ્તાનની ટીમ આશરે બે વખત એશિયા કપ જીતી છે. પાકિસ્તાન છેલ્લી વખત 2012માં એશિયા કપ જીતી હતી.