વિદેશી ધરતી પર છેલ્લા ત્રણ મહિનાથી નવો ઇતિહાસ રચી રહેલી ટીમ ઇન્ડિયાની નજર હવે ન્યૂઝીલેન્ડમાં રમાનારી ટી-20 શ્રેણી જીતવા પર છે. વિરાટ કોહલની ગેરહાજરીમાં રોહિત શર્મા ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યાં છે.
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આજરોજ પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચની સાથે શ્રેણી જીતવાના લક્ષ્યાંક સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે. ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિસ જીત બાદ ન્યૂઝીલેન્ડ સામે વન ડે શ્રેણી 4-1થી જીતનાર ટીમ ઇન્ડિયાની નજર પ્રથમ વખત ન્યૂઝીલેન્ડમાં ટી-20 શ્રેણી જીતવા પર છે.
મેચના આગલા દિવસે ભારતીય બેટસમેન શિખર ધવને જણાવ્યું હતું કે અમે ટીમ ઇન્ડિયાના જીતના રથને આગળ ધપાવી શ્રેણી જીતવાના ઇરાદે મેદાનમાં ઉતરીશું.
ઉલ્લેખનીય છે કે આગામી વિશ્વ કપને ધ્યાનમાં લઇને આ શ્રેણીનું ટીમ ઇન્ડિયા માટે વધુ મહત્વ છે. યુવા વિકેટકિપર તેમજ બેટસમેન ઋષભ પંત પર નજર રહેશે.