ટી-20 વર્લ્ડ કપ 2021 માં પાકિસ્તાન સામે મળેલી હાર બાદ વિરાટ બ્રિગેડ વાપસી માટે ઉત્સાહી છે. હવે ભારતીય ટીમનો આગળનો મુકાબલો ન્યૂજીલેન્ડ સામે છે. આ અહમ મુકાબલા પહેલા ભારતીય ટીમ માટે સારા સમાચાર આવી રહ્યા છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફિટ છે અને તે મેચમાં રમે તેવી શક્યતાઑ છે.
હાર્દિક પંડયા ન્યૂજીલેન્ડ સામેના મુકાબલામાં રમી શકે છે
હાર્દિક પંડયાએ પહેલા જ કહ્યું હતું કે હું બોલિંગ નહીં કરી શકું
પાકિસ્તાન સામેની મેચમાં હાર્દિકને વાગ્યા બાદ ઇશાન કિશન આવ્યા હતા ફિલ્ડિંગમાં
નોંધનીય છે કે હાર્દિક પંડયાને પાકિસ્તાન સામેની મેચ દરમિયાન ખભા ઉપર વાગ્યું હતું. જેના કારણે હાર્દિકની જગ્યાએ ઇશાન કીશન ફિલ્ડિંગ કરવા માટે મેદાન પર આવ્યા હતા. બાદમાં ભારતીય ટીમે વિલંબ કર્યા વગર હાર્દિકને સ્કેન માટે મોકલ્યો હતો.
ન્યૂજ એજન્સી એએનઆઈએ આ ઘટનાક્રમથી જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે ઓલરાઉન્ડર હાર્દિક પંડયા પહેલા કરતા ઠીક છે. સૂત્રોએ કહ્યું, ' કોઈ સમસ્યા નથી તે પહેલા કરતા સારુ મહેસુસ કરી રહ્યા છે. આ સ્કેન ફકત સાવચેતી માટે કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમ કોઈ ચાન્સ લેવા નતિ માંગતી કેમ કે રવિવારે ટુર્નામેન્ટની પ્રથમ મેચ હતી.
પાકિસ્તાન સામેની મેચમાં હાર્દિક કમાલ નથી કરી શક્યો. જ્યારે છેલ્લી ઓવરોમાં ભારતીય ટીમને વધારે રનની જરૂર હતી, તો હાર્દિક પંડયાએ આંઠ બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા હારીસ રઉફના હાથે બાબર આઝમના હાથે કેચ આઉટ થયો હતો.
ટી-20 વર્લ્ડ કપની શરૂઆત પહેલા જ હાર્દિકની ફિટનેસ પર સવાલો ઉઠયા હતા. હાર્દિકે પોતે પાકિસ્તાન સાથેની મેચ પહેલા તેની ફિટનેસને લઈને કહ્યું હતું કે આ મેચમાં બોલિંગ નહીં કરી શકું, પરંતુ જ્યારે નોકઆઉટ મેચ નજીક આવે છે ત્યારે તે બોલિંગ કરી શકે છે