ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે રવિવારે ટીમ ઇન્ડિયા (T20)નું એલાન કરી દેવામાં આવ્યું છે. 24 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલ પ્રવાસની શરૂઆત 5 ટી20 મેચોની સીરીઝથી કરવામાં આવશે. ત્યાર બાદ પાંચ ફેબ્રુઆરીથી ત્રણ વનડે ઇન્ટરનેશનલ મેચોની સીરીઝ રમાશે અને છેલ્લે 21 ફેબ્રુઆરીથી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ બે મેચોની સીરીઝ રમાશે.
ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટી20 સીરીઝ માટે ટીમ ઇન્ડિયાનું એલાન
24 જાન્યુઆરીથી શરૂ થઇ રહી છે 5 મેચોની ટી20 સીરીઝ
ધોનીની બહુચર્ચિત વાપસી ફરી એક વખત ટળી
રવિવારે ટી20 માટે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં 16 સભ્યોની ભારતીય સ્ક્વૉડની જાહેરાત કરવામાં આવી. સીરીઝમાં રોહિત શર્માની વાપસી થઇ છે, જેમણે શ્રીલંકા વિરૂદ્ધ હાલમાં જ પૂર્ણ થયેલ સીરીઝ દરમિયાન આરામ આપવામાં આવ્યો હતો. ત્યારે વિકેટકીપર સંજૂ સૈમસનને 16 સભ્યોની ટીમમાં જગ્યા નથી મળી.
ટી20 વર્લ્ડ કપને ધ્યાને રાખતા મહેન્દ્રસિંહ ધોનીની બહુચર્ચિત વાપસી એકવાર ફરી ટળી છે. 16 સભ્યોની ભારતીય સ્ક્વૉડમાં 38 વર્ષના મહેન્દ્રસિંહ ધોનીનું નામ નથી. હવે આઈપીએલ-2020માં તેમની વાપસી થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગત વર્ષ 9-10 જુલાઈએ વર્લ્ડકપ સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ભારતની હાર બાદથી ધોનીના ભવિષ્યને લઇને અટકળોનો દોર ચાલી રહ્યો છે. 38 વર્ષના ધોનીએ આ હાર બાદથી પ્રતિસ્પર્ધી ક્રિકેટ નથી રમી, પરંતુ તેમની આઇપીએલમાં વાપસી કરવાની આશા છે.