રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાંથી બહાર થઈ ગઈ છે. હવે પંડ્યા ન્યુઝીલેન્ડની ટી20 સીરીઝમાં કેપ્ટન છે.
હાર્દિક પંડ્યાને આપવામાં આવી ટીમની કમાન
કેપ્ટન બનતા જ હાર્દિર પંડ્યાએ આપ્યું આ નિવેદન
રોહિત શર્માની કેપ્ટનશીપ પર ઉભા થયા સવાલ
ટી20 સીરીઝ હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે ન્યુઝીલેન્ડ પહોંચી ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમ આ પ્રવાસમાં T20 અને ODI શ્રેણી રમવાની છે. બંને સિરીઝમાં 3-3 મેચો રમાવાની છે. આ પ્રવાસની શરૂઆત T20 સિરીઝથી થઈ રહી છે જેમાં ભારતીય ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં છે.
હાર્દિક પંડ્યાએ કેપ્ટન બનતાની સાથે જ મોટી વાત કહી છે. તેણે કહ્યું કે T20 વર્લ્ડ કપ 2022 પુરો થઈ ગયો છે અને હવે આગળ વધવાનો સમય છે. સાથે જ તેણે કહ્યું કે હવે ભૂલોને સુધારવાનો સમય આવી ગયો છે. પંડ્યાના આ નિવેદનથી ક્યાંકને ક્યાંક રોહિત શર્માની કેપ્ટનશિપ પર સવાલો ઉભા થયા છે.
હાર્દિક પંડ્યાએ કહી આ વાત
હાર્દિક પંડ્યાએ વેલિંગટનમાં ટી20 સીરિઝની ટ્રોફીના અનાવરણના અવસર પર મોટી વાત કરી છે. પંડ્યાએ કહ્યું, "અમે T20 વર્લ્ડ કપને લઈને નિરાશ છીએ પરંતુ અમે પ્રોફેશનલ છીએ. આપણે તેનાથી બહાર આવવાની જરૂર છે. જેમ આપણે આપણી સફળતા બાદ આગળ વધીએ છીએ. હવે આપણે વધુ સારૂ કરવા તરફ આગળ વધવું પડશે અને ભૂલો સુધારવી પડશે."
T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માએ કરી ભૂલો?
રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ઘણી ભૂલો કરી છે. સૌથી મોટી ભૂલ સેમીફાઈનલમાં દેખાઈ હતી જેમાં ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે 168 રન બનાવ્યા હતા પરંતુ પ્રથમ 10 ઓવરમાં ખૂબ જ ધીમું ક્રિકેટ રમ્યા હતા.
રોહિત શર્માએ 100ના સ્ટ્રાઈક રેટથી પણ રણ ન કર્યા. તે કેપ્ટન રોહિત શર્મા જે સતત આક્રમક ક્રિકેટ રમવાની વાત કરતો હતો તે દબાણમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો. સ્કોર વધારે ન બન્યો અને તે પછી બોલરોએ ખરાબ લાઇન લેન્થ સાથે બોલિંગ કરીને કસર પુરી કરી.
ન્યૂઝીલેન્ડમાં રમશે નવી ટીમ
તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપમાં નિષ્ફળતા બાદ હવે ઘણા સિનિયર ખેલાડીઓ ભારત પરત ફર્યા છે. જ્યારે યુવા ટીમ હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ન્યૂઝીલેન્ડ પહોંચી છે. પંત આ ટીમનો વાઇસ કેપ્ટન છે.
ટીમમાં સંજુ સેમસન, ઈશાન કિશન જેવા બેટ્સમેન છે. આ સિરીઝમાં ઓપનિંગથી લઈને રમવાની રીતમાં ફેરફાર કરવા સુધીનું કામ કરવામાં આવશે. કદાચ હાર્દિક પંડ્યા આ ખામીઓ દૂર કરવાની વાત કરી રહ્યો છે.