ભારતની ન્યુઝીલેન્ડ સામેની મેચમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં એક બોલર અને એક બેટ્સમેનનો સમાવેશ થાય છે.
ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડકપમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મહામુકાબલો છે. આજે ભારતને કોઈ પણ હિસાબે મેચ જીતવી જ પડે તેવી સ્થિતિ છે. એક રીતે હવે આ મેચ ક્વાર્ટર ફાઇનલ જેવી જ થઈ ગઈ છે. અહીંથી હારનારી ટીમ માટે સેમિફાયનલ સુધીની સફર અઘરી થઈ જશે તે પાક્કું છે માટે બંને ટીમો આજે પૂરું જોર લગાવીને રમવા ઉતરશે તે નિશ્ચિત થઈ ગયું છે.
સૂર્યકુમાર યાદવને સ્પાઝમ
ટીમમાંથી બે મોટા ખેલાડીઓને ટીમમાં લીધા નથી. સૂર્યકુમાર યાદવને સ્પાઝમ હોવાનું કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું. તેના સ્થાને ટીમમાં ઇશાન કિશનને સ્થાન મળ્યું હતું.
શાર્દૂલ ઠાકુરને સ્થાન મળ્યું
તો પ્રથમ મેચમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ જનાર સ્વિંગ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની જગ્યાએ શાર્દૂલ ઠાકુરને સ્થાન મળ્યું છે.
ન્યુઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ભારતે શરૂઆતમાં જ પહેલી વિકેટ ગુમાવી હતી. ઇશાન કિશન તેને મળેલ ચન્સનો ફાયદો ઉઠાવી શક્યો ન હતો. તે ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટનાં હાથે માત્ર ચાર રનના વ્યક્તિગત સ્કોર પર મિશેલનાં હાથમાં કેચ આપી બેઠો હતો અને આઉટ થયો હતો.