ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ટી-20ની સિરીઝ રમવા જઈ રહી છે. જેમાં ભારતીય ટીમના 3 મોટા ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે.
ટી-20 વર્લ્ડ કપ 2021માં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ટી-20 સિરિઝ રમવા જઈ રહી છે.
ત્યારે ભારતના 3 મોટા ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે : સુત્ર
આ ત્રણ મોટા ખેલાડીઓ ટી-20 પછી ટેસ્ટ શ્રેણીમાં નહીં રમે : સુત્ર
ટી-20 વર્લ્ડ કપ 2021માં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને તે સુપર-12 રાઉન્ડમાંથી જ બહાર થઈ ગઈ હતી. પરંતુ હવે ટીમ ઈન્ડિયા સામે એક નવો પડકાર છે. રોહિત શર્માના નેતૃત્વ હેઠળ, ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે 3 મેચની ટી-20 સિરીઝ રમવા જઈ રહી છે. જેમાં ઘણા ખેલાડીઓને આરમ આપવામાં આવ્યો છે. જેની વચ્ચે મોટા સમાચાર આવી રહ્યાં છે કે, આ શ્રેણીમાં ભારતના વધુ 3 મોટા ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુર ટી-20 પછી ટેસ્ટ શ્રેણીમાં નહીં રમે. બીજી બાજુ T20 શ્રેણી માટે ટીમમાં પસંદ કરાયેલા ઋષભ પંતને પણ ટેસ્ટ શ્રેણીમાં આરામ આપવામાં આવશે. એવું મનાઈ રહ્યું છે કે, વિરાટ કોહલી ટેસ્ટ સિરીઝની બંને મેચ પણ નહીં રમે.
પંતની ગેરહાજરીમાં વિકેટકીપર કોણ હશે?
જો રિષભ પંતને આરામ આપવામાં આવે તો રિદ્ધિમાન સાહા ભારતની પ્લેઈંગ ઈલેવનમાં દેખાઈ શકે છે અને કેએસ ભરતને બીજા વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ પહેલા બીસીસીઆઈએ બાયો બબલના ખેલાડીઓને 2 દિવસની રજા આપી છે. શ્રેણી પહેલા તમામ ખેલાડીઓ તેમના પરિવારને મળી શકશે.
ભારત-ન્યૂઝીલેન્ડ T20-ટેસ્ટ શ્રેણી શેડ્યૂલ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 17 નવેમ્બરથી T20 સીરીઝ શરૂ થશે. પ્રથમ T20 જયપુરમાં રમાશે. બીજી T20 19 નવેમ્બરે રાંચીમાં અને ત્રીજી T20 કોલકાતામાં 21 નવેમ્બરે રમાશે. પ્રથમ ટેસ્ટ મેચ 25 નવેમ્બરથી કોલકાતામાં શરૂ થશે અને બીજી ટેસ્ટ 3 ડિસેમ્બરથી મુંબઈમાં રમાશે.