ચોથી વન ડેમાં નિયમિત સુકાની વિરાટ કોહલી અને પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાનો 8 વિકેટે પરાજયનો સ્વાદ ચાખ્યો છે. આમ પાંચ વન ડે મેચની શ્રેણીમાં ભારત 3 જ્યારે ન્યૂઝીલેન્ડનો 1 મેચમાં વિજય થયો છે.
ન્યૂઝીલેન્ડની ટીમે 14.4 ઓવરમાં બે વિકેટના નુકસાન પર લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો છે. હેનરી નિકોલ્સ 30 અને રોસ ટેલર 37 રને અણનમ રહ્યાં છે.
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ વન ડે મેચની શ્રેણીની ચોથી વન ડેમાં ન્યૂઝીલેન્ડ દ્વારા ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગના નિર્ણય બાદ ન્યૂઝીલેન્ડના બોલર બોલ્ટના તરખાટ સામે ટીમ ઇન્ડિયા 92 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.
ભારતીય બેટસમેનો ચોથી વન ડેમાં નિષ્ફળ રહ્યાં છે. જેમાં રોહિત શર્મા 7 ધવન 13 શુભમન ગીલ 9 રાયડુ 0 કાર્તિક 0 જાધવ 1 રન બનાવી આઉટ થઇ ગયા છે.
હાર્દિક પંડયા 16 ભુવનેશ્વરકુમાર 1 કુલદીપ યાદવે 15 ખલીલ અહેમદ 5 રન જ્યારે ચહલ 18 રન બનાવી અણનમ રહ્યો છે. ન્યુઝીલેન્ડ તરફથી બોલ્ટે સૌથી વધુ 5 વિકેટ ઝડપી છે. જ્યારે ગ્રાન્ડહોમે ત્રણ વિકેટ ઝડપી છે. બોલ્ટના તરખાટ સામે ટીમ ઇન્ડિયાના બેટસમેનો નિષ્ફળ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ચોથી વન ડેમાં ભારતીય સુકાની વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોનીને આરામ આપવામાં આવ્યો છે. આમ ચોથી વન ડેમાં કોહલી-ધોની વગરની ટીમ ન્યૂઝીલેન્ડના બોલર સામે ઘૂંટણીયે જોવા મળ્યા હતા.
ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને ભારતને બેટિંગ આપવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં સુકાની વિરાટ કોહલીની જગ્યાએ શુભમન ગિલને ડેબ્યુ આપવામાં આવ્યો હતો જ્યારે મોહમ્મદ શમીની જગ્યાએ ખલીલ અહમદનો અંતિમ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.