T-20 વર્લ્ડકપ 2021માં ભારતીય ટીમે પોતાનો બીજો મુકાબલો ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ હારી ચૂકી છે. આ હાર સાથે જ ભારતના સેમીફાઇનલમાં પહોંચવાની આશા પણ લગભગ પૂર્ણ થઇ ચૂકી છે.
T20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની શરમજનક હાર
ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ભારતીય ખેલાડીઓનું ખરાબ પ્રદર્શન
પાકિસ્તાન સામે પણ ભારતીય ખેલાડીઓ નાકામ સાબિત થયા હતા
આ મેચમાં ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 110 રન બનાવ્યા હતા. ભારત માટે કોઈ પણ બેટ્સમેન સારી ઇનિંગ ન રમી શક્યો. ત્યારે નાના લક્ષ્યનો બચાવ કરતા ભારતીય બોલરોએ નિરાશ કર્યા અને પાવરપ્લેમાં માત્ર એક વિકેટ લઇ શક્યા. અમે અહીં જણાવી દઇએ કે કેટલા કારણોના કારણે ભારતે હારનો સામનો કરવો પડ્યો છે.
વગર તૈયારીએ ઉતરી ભારતીય ટીમ
આ મેચમાં ભારતીય ખેલાડીઓની રમત જોઈને લાગ્યું કે ગઇ મેચની હાર બાદ કંઇ ન શિખ્યા અને કોઈ તૈયારી ન કરી. પહેલા બેટિંગ કરતા સમયે ભારતીય બેટ્સમેને મોટા શૉટ લગાવવાના બદલે ગેપમાં રમવાની જરૂર હતી. આ સિવાય દુબઈના મોટા મેદાનમાં 2 રન ભાગવાની જરૂરિયાત ખુબજ વધુ હતી. ભારતીય બેટ્સમેને આનાથી વિપરીત રમત રમી. તમામ બેટ્સમેન પહેલા ડૉટ બોલ રમ્યા અને પછી મોટો શૉટ રમીને આઉટ થઇ ગયા. ત્યારે, બોલરોને પણ આ મેદાન પર સાચી લેન્થ નહોતી ખબર અને સતત નાના બોલ આપ્યા. આના કારણે ન્યૂઝીલેન્ડે સરળતાથી લક્ષ્યનો પીછો કરી લીધો.
ટૉસ હારવો ભારે પડ્યું
દુબઈના મેદાન પર ટૉસનું મહત્વ ખુબ જ વધુ રહે છે અને સુપર-12ની તમામ મેચ બાદ બેટિંગ કરનારી ટીમો જ જીતે છે. આ મેચમાં એકવાર ફરી કેપ્ટન કોહલી ટૉસ હારી ગયા અને ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. પહેલી ઇનિંગમાં બેટિંગ દરમિયાન ભારતને રન બનાવવામાં મુશ્કેલી થઇ અને બાદમાં ઓસના કારણે બોલરેને પણ મુશ્કેલી થઇ. તેથી આ મેચમાં તમામ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન ખુબ જ સામાન્ય નજરે આવ્યું.
54 ડૉટ બોલે વધારી મુશ્કેલી, 9 ઓવરમાં કોઈ રન ન બનાવ્યા
આ ટૂર્નામેન્ટમાં વેસ્ટઇન્ડિઝ જેવી ટીમ પહેલા પણ વધુ ડૉટ બૉલ રમીને મુશ્કેલીમાં મુકાઈ હતી અને આ મેચમાં ભારતીય ખેલાડીઓ માટે મોટાં મેદાન ફાયદો ઉઠાવવો જરૂરી હતો. આશા હતી કે વચ્ચેની ઓવરોમાં ભારતીય બેટ્સમેન બોલ પર 2 રન ભાગીને પોતાની ટીમનો સ્કોર આગળ વધારશે. જોકે મેચમાં એવું ન થયું. આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ 54 ડૉટ બોલ રમ્યા. તેને મતલબ છે કે ભારતે 9 ઓવરમાં કોઈ રન ન બનાવ્યા. તેના કારણે ભારતનો સ્કૉર 110 પર અટકી ગયો. રોહિત અને વિરાટ જેવા બેટ્સમેનોએ રન દોડવાના બદલે કેટલાક ડૉટ બોલ રમ્યા અને બાદમાં મોટા છગ્ગા લગાવવાના પ્રયત્નોમાં આઉટ થઇ ગયા. ભારત વિરૂદ્ધ સેન્ટરને 4 ઓવરમાં માત્ર 15 રન આપ્યા.
બાઉન્ડ્રી પર આઉટ થયા 6 ભારતીય બેટ્સમેન
ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ મેચમાં ભારતીય બેટ્સમેન ખોટા શૉટ રમીને આઉટ થયા. આ મેદાન પર બોલ અટકીને આવે છે અને મોટા છગ્ગા લગાવવાના બદલે ગેપમાં શૉટ રમવો જરૂરી હોય છે, પરંતુ ભારતીય બેટ્સમેન એવું ન કરી શક્યા. પાવરપ્લેમાં માત્ર 2 ખેલાડી 30 ગજની બહાર રહે છે, પરંતુ ટીમ ઇન્ડિયા ઓપનિંગમાં બેટ્સમેનોને ગેપમાં શૉટ લગાવવાના બદલે બાઉન્ડ્રીની ઉભેલા ખેલાડીઓના હાથમાં જ કેચ આપ્યો. ત્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ બેદરકારીભર્યા શૉટ લગાવીને આઉટ થયા. આ મેચમાં કુલ 6 ભારતીય બેટ્સમેન બાઉન્ડ્રી પાસે ખરાબ શૉટ લગાવીને આઉટ થયા.
કોહલીની કેપ્ટનશીપ પણ સામાન્ય દેખાઇ
આ મેચમાં વિરાટે રોહિતના બદલે ઈશાન કિશનને ઇનિંગની શરૂઆત કરાવી, પરંતુ તેનો આ પેંતરો ફ્લોપ રહ્યો અને ઈશાન સસ્તામાં આઉટ થઇ ગયો. ત્યારબાદ બોલિંગ કરતા સમયે ભારતને 110 રનનો બચાવ કરવાનો હતો. તેવામાં શરૂઆતી વિકેટ લેવી જરૂરી હતી અને વિરાટે પોતાના સૌથી સારા બોલરેને પાવરપ્લેમાં બોલિંગ કરાવવાની હતી, પરંતુ તેમણે જાડેજાથી બોલિંગ કરાવી. કીવી બેટ્સમેનોએ આનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. જેના કારણે પાવરપ્લેમાં ન્યૂઝીલેન્ડ મોટો સ્કોર બનાવી શકી.
ફરી એક વખત સાધારણ રહી બોલિંગ
110 રનના લક્ષ્યનો બચાવ કરવા ઉતરેલા ભારતીય બોલરોએ પાવરપ્લેમાં રન રોકવાની સાથે વિકેટ લેવાની જરૂર હતી. જોકે, મેચમાં એવું ન થયું. ટીમ ઇન્ડિયા પાવરપ્લેમાં માત્ર 1 વિકેટ લઇ શખ્યું અને 44 રન બનાવી લીધા. આ મેચમાં ભારતના સ્પિન બોલરો એક પછી એક યોગ્ય લેન્થ પર બોલિંગ ન કરી શક્યા અને કિવિ બેટ્સમેનોને મોટા શૉટ લગાવવાના મોકા આપ્યા. ગત મેચમાં ભારતીય બોલર કોઈ વિકેટ ન લઇ શક્યા અને આ મેચમાં પણ ભારતીય બોલર માત્ર 2 વિકેટ લઇ શક્યા.
આ સિવાય વરૂણ ચક્રવર્તીની મિસ્ટ્રી ન જોવા મળી. તો સસ્તામાં પવેલિયન પરત ફર્યા ઓપનર ખેલાડીઓ અને ભારતીય બેટ્સમેનોએ કોઈ તૈયારી ન કરી. જેને લઇને ભારતે કારમી હારનો સામનો કરવો પડ્યો છે.