ટી-20 વર્લ્ડ કપ 2021ની પોતાની બીજી મેચમાં ભારતે કારમી હારનો સામનો કર્યો છે. દુબઈમાં કેન વિલિયમસનની ન્યૂઝીલેન્ડની ટીમે વિરાટ બ્રિગેડને 8 વિકેટથી હરાવી હતી. સતત થઇ રહેલા પરાજયને કારણે ભારતીય ટીમનું સેમી ફાઈનલમાં પહોંચવુ મુશ્કેલ પ્રતિત થઇ રહ્યું છે.
ટી-20 વર્લ્ડ કપમાં બીજી વખત ભારતની શરમજનક હાર
ન્યૂઝીલેન્ડ સામેની મેચ હારતા ભારતીય ટીમના ચાહકો નારાજ
પ્રશંસકોએ ટ્વિટર પર IPL પર પ્રતિબંધ લગાવવાની કરી માંગ
IPL પર પ્રતિબંધ લગાવો
ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ ભારતીય ટીમના ક્રિકેટના ચાહકો ખૂબ નારાજ છે. હવે ટ્વિટર પર ઈન્ડિયન પ્રીમિયર લીગ પર પ્રતિબંધ લગાવવાની માંગ ઉઠી છે. જેના માટે હેશટેગ #BanIPLનો પ્રયોગ કરાઈ રહ્યો છે. પ્રશંસકોનું માનવુ છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ટીમ સારું પર્ફોમન્સ ના આપી શકે તો આટલી મોંઘી લીગ રમાડવાનો કોઈ અર્થ નથી.
#BanIPL#BCCI#IndianCricketTeam This is the main reason for failure and nothing else, they earn a lot in IPL and advertisements. We supported while they skip test against England thinking the safety but they can play IPL but not for country. Ban IPL for the sake of country. pic.twitter.com/2Y2RzYRmgd
આ ઉપરાંત ચાહકો માર્ગદર્શક ધોનીના રોલ પર પણ સવાલ ઉભા કરી રહ્યાં છે. જેના માટે હેશટેગ MentorDhoni નો ઉપયોગ કરાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે એમએસ ધોનીની માર્ગદર્શક તરીકે નિમણુંક કરી છે. ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમે વર્ષ 2007માં ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી.
#MentorDhoni#viratkholi I don't know what the hell is going .think for a second India's superstar's is not brave enough to playing cricket .what is the role of head coach mentor dhoni . Bhai dhoni ko specially kisliye mentor bnaya h darane k liye. pic.twitter.com/39q01R1JwW
આ મેચ જીત્યા બાદ ન્યૂઝીલેન્ડ ગ્રુપ-2ના પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે પહોંચી ગઇ છે. આ ગ્રુપમાં પ્રથમ ક્રમાંકે પાકિસ્તાન છે, જેણે અત્યાર સુધી ત્રણ મેચોમાં 6 પોઈન્ટ પ્રાપ્ત કર્યા છે. તો 3 મેચોમાં બે વખત જીત પ્રાપ્ત કરી અફઘાનિસ્તાનની ટીમ બીજા ક્રમાંકે છે. નામીબિયા ચોથા, ભારત પાંચમા અને સ્કોટલેન્ડની ટીમ અંતિમ ક્રમાંકે છે.