ઈન્દોરમાં યોજાનારી ત્રીજી વન-ડે મેચમાં ભારતીય ટીમ ઘણા ફેરફાર કરી શકે છે. કેપ્ટન રોહિત શર્માએ બીજી વન-ડે મેચ બાદ તેના સંકેત આપ્યાં હતા. એવામાં કયા ખેલાડીને આરામ મળી શકે છે.
ત્રીજી વન-ડે મેચમાં ભારતીય ટીમ ઘણા ફેરફાર કરી શકે
કેપ્ટન રોહિત શર્માએ બીજી વન-ડે મેચ બાદ આપ્યાં હતા સંકેત
જાણો કયા ખેલાડીને મળી શકે આરામ
આ બે ફાસ્ટ બોલરને ત્રીજી વન-ડેમાં આરામ મળી શકે
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન-ડે શ્રેણીની ત્રીજી મેચ 24 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે. ટીમ ઈન્ડિયા ત્રણ મેચની આ સીરીઝમાં 2-0થી આગળ છે અને હવે છેલ્લી મેચ જીતીને ક્લીન સ્વીપ કરવા પર નજર છે. કેપ્ટન રોહિત શર્માએ બીજી વન-ડે મેચ બાદ ફાસ્ટ બોલરના વખાણ કર્યા હતા. મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે હાલમાં ભારતીય ટીમ માટે સારું પ્રદર્શન કર્યુ છે. પરંતુ ભારતીય ટીમની નજર ઓસ્ટ્રેલિયા સામે થનારી ટેસ્ટ સીરીઝ પર પણ છે, એવામાં મનાઈ રહ્યું છે કે આ બે ફાસ્ટ બોલરને ત્રીજી વન-ડેમાં આરામ મળી શકે છે.
ત્રીજી વન-ડેમાં થશે આ ફેરફાર?
જો ટીમ કૉમ્બિનેશનને જોઈએ તો મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને ત્રીજી વન-ડે મેચમાં આરામ આપી શકાય છે, કારણકે પછી ઓસ્ટ્રેલિયા સામે લાંબી ટેસ્ટ સીરીઝ રમવાની છે. જેની જગ્યાએ પ્લેઈંગ-11માં ઉમરાન મલિકને તક આપી શકાય છે, આ સાથે શહબાજ અહમદને પણ પ્લેઈંગ-11માં જગ્યા મળી શકે છે.
કુલદીપ યાદવ અથવા વોશિંગ્ટન સુંદરને પણ આરામ આપી શકાય
ભારતીય ટીમ વધુ પડતો ફેરફાર પણ નહીં કરવા ઈચ્છે, જો કે, અત્યાર સુધી સીરીઝમાં યુઝવેન્દ્ર ચહલને પણ તક મળી નથી. એવામાં તેમને પ્લેઈંગ-11માં સામેલ કરી શકાય છે, એવામાં કુલદીપ યાદવ અથવા વોશિંગ્ટન સુંદરને પણ આરામ આપી શકાય છે.